ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, ૧૭ મે 2021.
સોમવાર.
અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું "તાઉ'તે'' રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે તા. 17 મે, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય એવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી પ્રતિ કલાક પણ થઈ શકે છે.
મોસમ વિભાગની ગંભીર ચેતવણી : આગામી ૨૪ કલાકમાં ચક્રાવાત વરવું સ્વરૂપ ધારણ કરશે
આમ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વ્યાપક નુકસાન થઈ શકવાની સંભાવના છે.
