યુપીમાં ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ફરી અટકાયત; જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 ઓક્ટોબર, 2021

બુધવાર 

યુપીના આગ્રામાં કથિત રીતે પોલીસ કસ્ટડીમાં એક વાલ્મિકી સમાજના યુવકના મોત બાદ ભારે હંગામો મચી ગયો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ આગ્રામાં પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા સફાઈ કામદારના પરિવારને મળવા જઈ રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની લખનઉ પોલીસે અટકાયત કરી છે.

લખનઉ પોલીસ દ્વારા કલમ 144 અને કાયદાના ઉલ્લંઘન બાબતે તેમની અટકાયત કરવામાં આવી છે. 

સફાઈ કામદાર અરુણનું આગ્રા પોલીસની કસ્ટડીમાં મોત થયું હતું. 

આ કેસમાં ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે,વાલ્મિકી સમાજના સફાઈ કામદારની પોલીસે ચોરીના આરોપમાં ધરપકડ કરી હતી.

શું આર્યન ખાનની માહિતી ગૂગલમાંથી દૂર કરવામાં આવી છે? આર્યન ખાન સંબંધિત કીવર્ડ સર્ચમાં આવતા નથી; જાણો શું છે હકીકત  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More