Site icon

મહારાષ્ટ્રની તમામ શાળાઓ 1લી ડિસેમ્બરથી શરૂ થશે કે નહીં? શું ફરીથી રાજ્યમાં લોકડાઉન લાગશે? જાણો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટાસ્ક ફોર્સની બેઠકમાં શું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયામાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં 1લી ડિસેમ્બર થી તમામ શાળાઓ શરૂ થવાની છે. ત્યારે રાજ્ય સરકારે શાળા શરૂ કરવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તરત જ ટાસ્ક ફોર્સની ઓનલાઈન બેઠક બોલાવી હતી. ત્યારે આરોગ્ય મંત્રી રાજેશ ટોપે હાજર હતા. તે બેઠકમાં સોમવારે 29 નવેમ્બરે કેબિનેટની બેઠક યોજવાનું નક્કી કરાયું હતું. આ બેઠકમાં શાળા શરૂ કરવાના નિર્ણય અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.

ઓનલાઇન બેઠક દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે નવા કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રાજ્યએ તાત્કાલિક પગલાં લેવાનું શરુ કરવું જોઈએ. કેન્દ્રની સુચનાની રાહ ન જુઓ. સીએમ ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું છે કે એરપોર્ટ પર આવતા દરેક વિદેશી પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજીયાત કરવો. મુખ્યમંત્રીએ રાજ્યમાં રસીકરણ પર ભાર મૂકવાનો આગ્રહ કરતા કહ્યું હતું કે રસીકરણને તાત્કાલિક ધોરણે ઝડપી કરવામાં આવે. દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં જમ્બો કોવિડ કેન્દ્રો શરૂ કરવા માટે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે કોરોના નિયમોનો કડક અમલ કરવાનો પણ આદેશ આપ્યો હતો.

મહારાષ્ટ્રમાં ખતરાની ઘંટડી વાગી ગઈ!  થાણે જિલ્લામાં ઓમીક્રોન વેરીઅન્ટની એન્ટ્રી? જાણો શું છે સમગ્ર મામલો

તેમજ છેલ્લા બે વર્ષમાં કોરોનાને લીધે લોકડાઉનનો સામનો કરવો પડ્યો હતો. જો હવે લોકડાઉન ન જોઈતું હોય તો સાવચેતીના નિયમોનું પાલન કરવું પડશે, એમ પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું. રાજ્ય સરકારે પહેલાથી જ કેન્દ્ર સરકાર પાસે દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોની પેસેન્જર ફ્લાઇટ્સ બંધ કરવા અથવા યોગ્ય પગલાં લેવાની માગ કરી છે. મુખ્યમંત્રીએ પ્રશાસનને એરપોર્ટ પર આવતા તમામ પ્રવાસીઓ પર ધ્યાન આપવાનો પણ આદેશ આપ્યો છે.

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version