Site icon

આ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતાએ એનસીપી સુપ્રીમો પવાર પર સાધ્યું નિશાન, આપ્યું એવું નિવેદન કે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા અનંત ગીતે NCP પ્રમુખ શરદ પવાર પર નિશાન સાધ્યું છે. 

રાયગઢમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે જેમણે પોતાની પાર્ટી બનાવવા માટે કોંગ્રેસની પીઠમાં છરા મારનાર શિવસૈનિકોનો 'ગુરુ' ન બની શકે. 

કોઈ ભલે ગમે તેટલી શરદ પવારની પ્રશંસા કરે, પરંતુ અમારા ગુરુ હંમેશા (સ્વર્ગસ્થ) બાળાસાહેબ ઠાકરે રહેશે

સાથે તેમણે એમ પણ કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ત્રિપક્ષીય મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર માત્ર એક સમજુતી છે.

ઉલ્લેખનીય છે કે પવારને મહા વિકાસ આઘાડી સરકારના આર્કિટેક્ટ અને મુખ્ય માનવામાં આવે છે, જે 2019 ની વિધાનસભા ચૂંટણી પછી શિવસેના અને ભાજપ વચ્ચેના સંબંધો તૂટી ગયા બાદ સત્તા પર આવી હતી.

Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Exit mobile version