મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક ટ્વિસ્ટ- ઉદ્ધવ ઠાકરે જૂથના ચૂંટણી ચિન્હ પર મશાલ પર આ પાર્ટીએ કર્યો દાવો

by Dr. Mayur Parikh
Samata party in sc for getting back flaming torch symbol from thackeray faction 

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ચૂંટણી પંચ(Election commission of India) દ્વારા ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ને આપવામાં આવેલા 'મશાલ' ચિન્હને લઈને વિવાદ ઊભો થયો છે. આ ચૂંટણી ચિન્હ(election symbol) પર સમતા પાર્ટીએ પોતાનો દાવો કર્યો છે. સમતા પાર્ટીનું કહેવું છે કે જ્યારે 'મશાલ' પહેલાથી જ સમતા પાર્ટી(Samta Party)નું ચૂંટણી ચિન્હ છે તો ઉદ્ધવ ઠાકરેને તે કેવી રીતે આપી શકાય. 

શિવસેના(Shivsena)માં બળવા પછી પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ. એક જૂથનું નેતૃત્વ એકનાથ શિંદે(Eknath Shinde) અને બીજા જૂથનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે. બંને જૂથો દાવો કરે છે કે તેમનો જૂથ અસલી શિવસેના છે. જ્યારે મામલો કેન્દ્રીય ચૂંટણી પંચ સુધી પહોંચ્યો ત્યારે પંચે તરત જ પાર્ટીનું નામ 'શિવસેના' અને પાર્ટીનું ચૂંટણી ચિન્હ 'ધનુષબાણ' ફ્રીઝ કરી દીધું. કેન્દ્રીય ચૂંટણી પંચે બંને જૂથોને નવું નામ અને ચૂંટણી ચિન્હ આપ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથનું નામ 'શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે' અને એકનાથ શિંદે જૂથનું નામ 'બાલાસાહેબચી શિવસેના' રાખવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથનું નવું ચૂંટણી ચિન્હ 'મશાલ' છે અને એકનાથ શિંદે જૂથનું ચૂંટણી ચિન્હ 'ઢાલ-તલવાર' છે.

આ સમાચાર પણ વાંચો : 42 વર્ષની ઉંમરે લવ સીન કરતી વખતે રેખા બેકાબૂ થઈ ગઈ હતી- કો-એક્ટરને ઈજા થઈ હતી

રસપ્રદ વાત એ છે કે જ્યોર્જ ફર્નાન્ડિસ દ્વારા સ્થાપિત સમતા પાર્ટી પણ અંધેરી વિધાનસભા પેટાચૂંટણી લડવાનું મન બનાવી રહી છે. આવી સ્થિતિમાં સમતા પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેનું ચૂંટણી ચિન્હ 'મશાલ' હોવાના કારણે મતદારોમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે. જેના કારણે સમતા પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ પોતાનો વાંધો નોંધાવ્યો છે.  આપને જણાવી દઈએ કે સમતા પાર્ટીના મહારાષ્ટ્ર એકમ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે.

સમતા પાર્ટીના દાવા મુજબ આ પાર્ટી 1994થી રાષ્ટ્રીય પાર્ટી તરીકે કામ કરી રહી છે. લોકોના મનમાં આ પાર્ટીની પોતાની પ્રતિષ્ઠા છે. જ્યોર્જ ફર્નાન્ડિસ અને નીતીશ કુમારે મળીને લાલુ પ્રસાદ યાદવ સામે એક નવો પક્ષ બનાવ્યો, જેનું નામ સમતા પાર્ટી અને ચૂંટણી પ્રતીક 'મશાલ' હતું. 1995માં સમતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી લડતી વખતે 7 બેઠકો જીતી હતી. 1996ની ચૂંટણીમાં સમતા પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું.

આ ચૂંટણીમાં પણ સમતા પાર્ટી બિહારમાં 6 અને ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં એક-એક બેઠક જીતવામાં સફળ રહી હતી.1998ની ચૂંટણીમાં પણ સમતા પાર્ટીએ 12 બેઠકો જીતી હતી. તેથી સમતા પાર્ટીના નેતાઓની માંગ છે કે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના પક્ષને મશાલના ચિહ્નને બદલે અન્ય કોઈ પ્રતીક આપવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ આ અંગે શું વલણ અપનાવે છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ટેક્સી-ઑટોની મુસાફરી થશે વધુ મોંઘી- ભાડામાં ઝીંકાયો વધારો- જાણો કેટલા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More