Site icon

મુંબઈથી ઔરંગાબાદ અને ત્યારબાદ અચાનક દિલ્હી-મુખ્યમંત્રી એકનાથ શિંદે સંજય રાઉતની ધરપકડ પછી અમિત શાહને મળ્યા-જાણો વિગત અહીં

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) પૂરગ્રસ્ત વિસ્તારોનું(of flood prone areas) મુલાકાત લેવાનું CM એકનાથ શિંદેએ(Eknath Shinde) શરૂ કર્યું છે. આ જ ક્રમમાં તેઓ શનિવારે ઔરંગાબાદ(Aurangabad) ગયા ત્યારે અચાનક દિલ્હીથી(Delhi) તેડું આવતા મુખ્યમંત્રી અધવચ્ચેથી પ્રવાસ છોડીને દિલ્હી પહોંચી ગયા હતા. આ પછી તેઓ દિલ્હીના એરપોર્ટની(Delhi Airport) વીઆઇપી લોજમાં(VIP lodge) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Union Home Minister Amit Shah) સાથે મુલાકાત કરી  મીડિયા રિપોર્ટ મુજબ આ બેઠક લગભગ 45 મિનિટ ચાલી હતી. ત્યારબાદ તેઓ તરત જ  મહારાષ્ટ્ર પરત ફર્યા હતા. અને રવિવારે સવારે સંજય રાઉતની(Sanjay Raut) સામે તપાસ એજન્સી ઈડીએ(ED) કાર્યવાહી શરૂ કરી હતી. આથી શિંદે દિલ્હીમાં મહારાષ્ટ્રના પ્રધાન મંડળની વિસ્તરણ(Expansion of Cabinet) તેમ જ શિવસેના નેતા સંજય રાઉતની ઈડીની કાર્યવાહી બાબતે વાતચીત થઈ હોય એવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત થયા જેલભેગા- ઉદ્ધવ ઠાકરેએ નેતાના ઘરે પહોંચ્યા- પરિવારજનો સાથે કરી મુલાકાત- જુઓ ફોટોગ્રાફ્સ

આ બધા વચ્ચે નવાઈની વાત એ છે કે મુખ્યમંત્રી પદે એકનાથ શિંદે શપથ લીધા બાદ એક મહિનામાં શનિવારે રાતે છઠ્ઠી વખત દિલ્હીની મુલાકાતે ગયા હતા. જોકે આ વખતે તેઓ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-4ના વીઆઇપી ઝોનમાં(VIP zone) મળ્યા હતા. બન્ને વચ્ચે 45 મિનિટ ચર્ચા થઈ હતી. આ પછી શિંદે મહારાષ્ટ્રમાં પરત ફર્યા અને ઔરંગાબાદના પ્રવાસને આગળ શિંદે શરૂ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં શિંદે-ફડણવીસ સરકારને(Shinde-Fadnavis government) એક મહિનો પૂરો થયો હોવા છતાં કેબિનેટનું હજુ વિસ્તરણ થયું નથી. જો કે, છેલ્લા એક મહિનામાં શિંદે-ફડણવીસ સરકારે કેબિનેટની બેઠકમાં ખેડૂતોથી લઈને વિદ્યાર્થીઓ સુધીના લગભગ તમામ ક્ષેત્રો માટે નિર્ણયો લીધા છે.

Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Maharashtra ATS: મહારાષ્ટ્ર ATSની મોટી કાર્યવાહી: પૂણેથી શંકાસ્પદ આતંકવાદી ની ધરપકડ; કટ્ટરપંથી સંગઠનો સાથે સંબંધોની આશંકા
CM Yogi: મુસ્તફાબાદને મળ્યું નવું નામ: CM યોગીએ કરી ‘કબીરધામ’ની જાહેરાત
Aurangabad railway station rename: ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે ‘છત્રપતિ સંભાજીનગર’ સત્તાવાર રીતે જાહેર; નવો કોડ ‘CPSN’
Exit mobile version