355
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
નાસિક(Nashik)માં આજે મધરાતથી 12 જૂન સુધીના પખવાડિયા માટે કર્ફ્યુ(Curfew) લાદવામાં આવ્યો છે.
આ દરમિયાન કોઈ આંદોલન, રેલી, દેખાવો કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
સાથે જ આ દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ નાકાબંધી પણ કરવામાં આવશે.
નાસિક પોલીસે આ નિર્ણય મસ્જિદ-મંદિર, ભૂંગળા વિવાદના સંદર્ભમાં આંદોલન કે મોરચો નીકળે તો શહેરમાં શાંતિ ન ડહોળાય તે માટે લીધો છે.
પોલીસ કમિશનર જયંત નાયકનવરે દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી રાજ્ય સહિત દેશભરમાં મંદિરો, મસ્જિદો, હનુમાન ચાલીસા જેવા મુદ્દાઓના કારણે વાતાવરણ ગરમાયું છે.
આ સમાચાર પણ વાંચો: ભારતમાં સેક્સ વર્ક હવે એક વ્યવસાય, સુપ્રીમ કોર્ટે પોલીસ અને પ્રેસને આપ્યા આ નિર્દેશ; જાણો શું કહ્યું કોર્ટે..
You Might Be Interested In