મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસનો ભીષણ એક્સિડન્ટ, આટલા લોકોના નિપજ્યા મોત, છ જખમી; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022

શનિવાર.

મુંબઈ-આગ્રા હાઈવે પર મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની શિવશાહી બસનો ભીષણ એક્સિડન્ટ થયો છે, જેમાં દુઘર્ટના સ્થળે જ  એક વ્યક્તિનું  મોત નીપજ્યું હતું અને અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુઘર્ટના  હાઈવે પર નાશિકમાં તપોવન કોર્નર ખાતે બની હતી.

સ્ટેટ ટ્રાન્સપોર્ટના પ્રવકતાના જણાવ્યા મુજબ નાસિક-ઔરંગાબાદ શિવશાહી બસ તપોવન કોર્નર પાસે આવી રહી હતી, ત્યારે ડ્રાઈવરે બસ પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને ફ્લાયઓવર ની નીચે અન્ય બસ સાથે જોશભેર  અથડાઈ હતી, તેણે એક ટુ-વ્હીલરને પણ ટક્કર મારી હતી. જેમાં ટુ-વ્હીલર સવાર નું મૃત્યુ થયું હતું અને અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાનની મુશ્કેલીમાં વધારોઃ કોર્ટે હવે આપ્યો આ આદેશ; જાણો વિગત

શિવશાહી બસની સુરક્ષાનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. રાજ્યમાં અગાઉ પણ અનેક વખત આ બસ અકસ્માતમાં મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. આથી સરકાર દ્વારા શિવશાહી બસની મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More