ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર.
મુંબઈ-આગ્રા હાઈવે પર મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની શિવશાહી બસનો ભીષણ એક્સિડન્ટ થયો છે, જેમાં દુઘર્ટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુઘર્ટના હાઈવે પર નાશિકમાં તપોવન કોર્નર ખાતે બની હતી.
સ્ટેટ ટ્રાન્સપોર્ટના પ્રવકતાના જણાવ્યા મુજબ નાસિક-ઔરંગાબાદ શિવશાહી બસ તપોવન કોર્નર પાસે આવી રહી હતી, ત્યારે ડ્રાઈવરે બસ પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને ફ્લાયઓવર ની નીચે અન્ય બસ સાથે જોશભેર અથડાઈ હતી, તેણે એક ટુ-વ્હીલરને પણ ટક્કર મારી હતી. જેમાં ટુ-વ્હીલર સવાર નું મૃત્યુ થયું હતું અને અન્ય છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાનની મુશ્કેલીમાં વધારોઃ કોર્ટે હવે આપ્યો આ આદેશ; જાણો વિગત
શિવશાહી બસની સુરક્ષાનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. રાજ્યમાં અગાઉ પણ અનેક વખત આ બસ અકસ્માતમાં મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. આથી સરકાર દ્વારા શિવશાહી બસની મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે.