Site icon

શાળાઓની ફી વધારા સંદર્ભે રાજ્ય સરકારે મહત્ત્વનો આદેશ આપ્યો; પી.ટી.એ.ના સભ્યોની ભૂમિકા ચાવી રૂપ રહેશે, જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૬ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

વિદ્યાર્થી સંસ્થા તરફથી ફી વધારા બાબતે અરજી મળતા મહારાષ્ટ્રમાં પ્રાથમિક શિક્ષણના નિયામકે જણાવ્યું છે કે રાજ્યની તમામ શાળાએ ફી નિર્ધારિત કરવા માટે જરૂરી દસ્તાવેજ શિક્ષણ વિભાગને જમા કરાવવાના રહેશે. સંસ્થાએ ફરિયાદ કરી હતી કે શાળાઓ ફી સંબંધિત નિયમોનું પાલન કરતી નથી. તેથી જરૂરી દસ્તાવેજ શિક્ષણ વિભાગ જમા કરાવવામાં આવશે તો આ પ્રક્રિયામાં પારદર્શિતા આવશે.

કેર ઓફ પબ્લિક સેફટીએ હાલમાં જ શિક્ષણ વિભાગને પત્ર લખી જણાવ્યું હતું કે શાળાઓ ફી વધારા માટે પેરેન્ટ્સ ટીચર એસોસિયેશન (પી.ટી.એ.) પાસેથી મંજુરી લેતી નથી અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ફી વધારા બાબતે કામ કરી રહી નથી.

ઉલ્લેખનીય છે કે રાજ્યના પ્રાથમિક શિક્ષણના નિયામક દત્તાત્રય જગતાપે રિજનલ ઓફિસરને પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતી તમામ શાળાઓ પાસેથી ફી વધારાની માહિતી, પી.ટી.એ. બનાવાવની પ્રક્રિયા અને પી.ટી.એ.એ મંજુર કરેલા ફી વધારાના દસ્તાવેજ મેળવી શિક્ષણ વિભાગને જમા કરવાના રહેશે.  

પ્રાઇવેટ શાળાઓ માત્ર ૫૦% ફી લઈ શકે તે માટે ઓનલાઈન પીટીશન દાખલ થઈ, જાણો વિગત…

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version