થઈ જાવ એલર્ટ, ભારતના આ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે; મુખ્યમંત્રીએ કરી જાહેરાત  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 ડિસેમ્બર 2021

બુધવાર 

ભારતમાં ઓમીક્રોનની એન્ટ્રીથી સરકારની ચિંતા વધી ગઈ છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે.

બિહારના મુખ્યમંત્રીએ સત્તાવાર જાહેરાત કરતા કહ્યુ છે કે, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે, લોકો કોરોનાની ગાઈડ લાઈનનુ પાલન કરવું જોઈએ. 

આ સાથે જ  બિહાર પહેલું રાજ્ય બની ગયું છે જેણે સત્તાવાર રીતે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાની જાહેરાત કરી છે.

અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47 મામલાઓ સામે આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યોએ કોરોનાના વધતા કેસને જોતા હવે રાત્રી કરફ્યુ પણ નાખી દીધો છે. 

ઓમિક્રોનના વધતાં કેસ વચ્ચે આજે PM મોદીએ બોલાવી મહત્વની બેઠક, આ રહેશે ચર્ચાનો મુદ્દો; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More