Site icon

મહારાષ્ટ્રના આ પરિવારે દહેજમાં માગ્યા લેબ્રા ડૉગ અને ૨૧ નખવાળો દુર્લભ કાચબો; પોલીસમાં નોંધાયો ગુનો, જાણો વિચિત્ર કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

દેશમાં દહેજ અંગે જાગરૂકતા અભિયાન અને કાયદો હોવા છતાં આ કુપ્રથા હજી સમાજમાં મોટાપાયે જોવા મળે છે. હવે દહેજનો એક કિસ્સો મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી પણ પ્રકાશમાં આવ્યો છે. જોકે આ કિસ્સો ખૂબ જ વિચિત્ર છે, અહીં દહેજમાં મોંઘી ભેટસોગાદો નહિ, પરંતુ લેબ્રાડોર ડૉગ અને ૨૧ નખવાળો દુર્લભ કાચબો માગવામાં આવ્યો છે. હવે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઔરંગાબાદના ઉસ્માનપુર પોલીસ સ્ટેશનમાં એક પરિવારે દહેજમાં 21 નખવાળો કાચબો અને લેબ્રાડોગની માગણી કરવાનો આરોપ મૂક્યો છે. આ કિસ્સામાંપોલીસે વરરાજા અને તેના પરિવાર સામે કેસ નોંધ્યો છે. માહિતી અનુસાર 10 ફેબ્રુઆરી, 2021ના રોજ સગાઈ થઈ હતી અને બંને બાજુએ નક્કી કર્યું હતું કે થોડા મહિના બાદ લગ્ન થશે, પરંતુ એ દરમિયાન છોકરાવાળાઓએ છોકરીની સામે દહેજમાં ઘણી માગ કરી હતી. વરરાજાનાં માતાપિતાને સગાઈમાં, 10 ગ્રામની ગોલ્ડ રિંગ અને બે લાખ રૂપિયા અને રોકડા આપવામાં આવ્યા.

મુંબઈમાં લોકલ શરૂ કરવાને મુદ્દે ભાજપાએ આંદોલન છેડ્યું; બોરીવલી સ્ટેશન બહાર કરાયું પ્રદર્શન, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે છોકરીના પિતાએ એક મીડિયા હાઉસને કહ્યું હતું કે એ દહેજ આપવાની વિરુદ્ધ છે, પરંતુ તેની દીકરીના સુખ માટે દહેજ આપવાનો નિર્ણય કર્યો હતો. સગાઈ પછી, વરરાજાના પરિવારે છોકરીના પિતા પાસે લેબ્રાડોર ડૉગ અને એકવીસ નખવાળા કાચબાની માગ કરી હતી. આ ઉપરાંત દીકરીને સરકારી નોકરી અપાવવા માટે 10 લાખની માગ કરી હતી. છોકરીના પિતા કહે છે કે લગ્નની આવી માગ સાંભળતાં જ તે પરેશાન થયા હતા અને પોલીસમાં આ લોભી લોકો સામે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version