Site icon

હેં! મહારાષ્ટ્રમાં હવે રજાના દિવસે પણ સ્કૂલો ચાલુ રહેશે, આ છે કારણ… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર.

શૈક્ષણિક વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે બાળકને આગામી દિવસમાં રજાના દિવસે પણ સ્કૂલમાં જઈને ભણવું પડે એવી શક્યતા નિર્માણ થઈ છે. રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે તેવો સંકેત આપ્યો છે.

કોરોનાએ છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓના શિક્ષણને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. હવે વાસ્તવિક શાળાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ અભ્યાસક્રમ પૂરો કરાવવો એ શિક્ષકો માટે મોટો પડકાર છે એવું બોલતા રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે રાજ્યના શિક્ષકોને શનિવાર અને રવિવારે શાળા શરૂ કરવા અને અભ્યાસક્રમ પૂરો કરી નાખવાની અપીલ કરી છે.

કર્ણાટકમાં હિજાબને લઈને રાજકરણઃ સ્કૂલ, કોલેજ આટલા દિવસ રહેશે બંધ; જાણો વિગત

 અજિત પવારે સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે કોરોનાને કારણે બાળકો બે વર્ષથી શાળાએ ગયા નથી.  કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં શાળાઓ સાતસો દિવસ માટે બંધ હતી. હવે કોરોનાનો વ્યાપ ઘટી રહ્યો છે, તેથી શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે. 

અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્રે એવા જિલ્લાઓમાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે જ્યાં કોરોનાનું જોખમ ઓછું થયું છે. જો કે, શાળા શરૂ થાય ત્યારે પણ વાલીઓ માટે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવાનું ફરજિયાત નથી. વર્તમાન સંજોગોમાં, વાલીઓએ તેમના વિદ્યાર્થીઓને યોગ્ય જણાય તેમ તેમને શાળાએ મોકલવા જોઈએ એવી સરકારે અપીલ પણ કરી છે.

 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version