News Continuous Bureau | Mumbai
આસામમાં સતત થઈ રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે જ્યારે કેટલીક જગ્યાએ ભૂસ્ખલનથી સામાન્ય જન-જીવન ખોરવાઈ ગયું છે.
In less than a month, nature's paradise #DimaHasao facing devastation again! A beautiful place getting ravaged by nature itself #Assam #AssamFloods2022 #flood #landslide pic.twitter.com/AOSBrRCKh8
— TRIDEEP LAHKAR (@TrideepL) June 15, 2022
મીડિયા અહેવાલો અનુસાર સતત પડી રહેલા વરસાદના કારણે આસામના ગોપાલપુરા જિલ્લામાં ભૂસ્ખલન થયું છે. જેમાં બે સગીર બાળકો જીવતા કાટમાળમાં સમાય ગયા હતા. ત્યારબાદ રાહત અને બચાવ દળે બંને બાળકોના મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. તો બીજી તરફ આસામના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે – અનિલ નગર, નબીન નગર, રાજગઢ લિંક રોડ, રુક્મિણી ગાંવ, હાટીગાંવ અને કૃષ્ણા નગર સૌથી વધુ અસરગ્રસ્ત છે. દરમિયાન પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા અને તેમને રાહત સામગ્રી પૂરી પાડવા બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
#AssamFloods2022
The people of #Assam are facing lots of difficulties due to this on going devastating #Floods . Some of us have already lost their homes also.
Please pray for us everyone !! #assamfloods , #assamrains@narendramodi@PMOIndia
@rajnathsingh pic.twitter.com/BFCAtzT144— mousam pratim sarma (@mousam1211) June 16, 2022
આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ સાંસદે ન્યાય પ્રક્રિયાને ઝડપી- પારદર્શક અને સરળ બનાવવાની કરી માંગણી-કાયદા અને ન્યાય મંત્રીને લખ્યો પત્ર-જાણો વિગત
This is what @guwahaticity looks like at night. Instead of vehicles, people should start traveling by boats! #Guwahati #Assam #Floods #Waterlogging #ViralVideo pic.twitter.com/qWIpU6dtFc
— Sangpu Changsan (@_sangpuchangsan) June 15, 2022
ઉલ્લેખનીય છે કે આસામમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 3 દિવસોમાં 6 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આસામમાં 17 જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. જણાવી દઈએ કે ગયા મહિને આસામમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હવે ચોમાસાના આગમન બાદ સ્થિતિ વધુ વણસી શકે છે.