હિમાચલના 6 વાર મુખ્યમંત્રી અને કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાનું થયું નિધન, IGMC હૉસ્પિટલમાં હતા દાખલ 

by Dr. Mayur Parikh

હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનું આજે વહેલી સવારે નિધન થયું છે. 

લાંબી બીમારી સામે ઝઝૂમ્યા બાદ તેમણે શિમલાની ઈંદિરા ગાંધી મેડિકલ કૉલેજમાં સવારે 3.40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. 

તેમણે કોરોનાને 2 વખત માત આપી હતી. છેલ્લા 2 દિવસથી તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી જેથી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે તેઓ વીરભદ્ર સિંહ 9 વખત ધારાસભ્ય રહી ચુક્યા હતા અને સાથે જ 5 વખત સાંસદ તરીકે પણ પસંદગી પામ્યા હતા.

તેમણે 6 વખત મુખ્યમંત્રી તરીકે હિમાચલ પ્રદેશની કમાન સંભાળી હતી. હાલ તેઓ સોલન જિલ્લાના અરકી ખાતેથી ધારાસભ્ય હતા. 

મોદી કેબિનેટ મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થયું, આટલા નવા નેતાઓએ લીધા શપથ ; જાણો કોને કોને મળ્યું કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More