Site icon News Continuous Bureau | Mumbai

આનંદો: ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશીની લહેર, 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

બુધવાર

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જવાને કારણે પાણીની અછત પણ સર્જાઈ હતી. ખાસ કરીને આ મુદ્દે ખેડૂતોને ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.

ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાલ નર્મદા ડેમની જળસપાટીમાં 12 કલાકમાં 21 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 116.6 મીટર જોવા મળી રહી છે. ડેમમાં પાણીની આવક 8993 ક્યૂસેક થઈ ગઈ છે. સાથેજ સંગ્રહિત પાણીનો જથ્થો પણ 4408.09 MCM જેટલો થઇ ગયો છે. 

અફઘાનિસ્તાનમાં ભારતનું રેસ્ક્યુ મિશન પૂર્ણ થયું, વાયુસેનાના વિમાનો તેમના બેઝ પર પાછા ફર્યા ; જાણો વિગતે

સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. સોમનાથના ગીરગઢડામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વેરાવળ, કોડિનાર અને ઉના તાલુકામાં સારા વરસાદથી પાકને જીવતદાન મળ્યું છે. તાલાળા ગીરમાં ધોધમાર વરસાદ વરસતા ગામમાં નદી વહેતી થઈ છે. છેલ્લાં ત્રણ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. તો ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version