Site icon

શિવસેનાના સાંસદ સંજય રાઉતની બોલતી કોણે કરી બંધ? જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

બુધવારે રાજ્યસભામાં નવા ક્રિમિનલ પ્રોસિઝર બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન સંજય રાઉતનો બોલવાનો સમય પૂરો થતા રાજ્યસભાના તાલિકા અધ્યક્ષ(ટેબલ પ્રેસીડન્ટ) તેમને નીચે બેસવા કહ્યું હતું. છતાં તેઓએ બોલવાનું ચાલુ રાખતા તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. તેથી રાજ્યસભામાં પણ તેમનો અવાજ બંધ કરવામાં આવ્યો હોવાની ચર્ચા રાજ્કીય વર્તુળમાં થઈ રહી છે.

Join Our WhatsApp Community

શિવસેનાના સાંસદ સંજય રાઉત પર મંગળવારે ઈડીએ કાર્યવાહી કરી હતી. આ  કાર્યવાહીને સંજય રાઉતે રાજ્કીય બદલાનો ભાગ ગણાવી કેન્દ્ર સરકારની ટીકા કરી હતી હતી. તેમણે રાજયસભામાં નવા બિલ પર ચાલી રહેલી ચર્ચા સમયે નવા કાયદાનો તપાસ એજેન્સી તરફથી ગેરઉપયોગ થવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર વિરુદ્ધ બોલનારાઓને ગુનેગાર બનાવી દેવામાં આવે છે. તપાસ યંત્રણાને રાક્ષસ બનાવવામાં આવી રહી છે. તેના કરતા દેશમાં માર્શલ કાયદો લાવો એવી ટીકા પણ સંજય રાઉતે કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં નજીવો વધારો. જાણો તાજા આંકડા અહીં. 

કાયદાનો ગેરઉપયોગ ના થાય એવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકાર શું અમારી આંખમાં આંખ મિલાવીને તે કહી શકે છે? એવો સવાલ પણ તેમણે પોતાના ભાષણમાં કર્યો હતો. આ દરમિયાન તેમનો ભાષણનો સમય પૂરો થતા તેમને નીચે બેસવાનું કહેવામાં આવ્યું હતું. છતાં તેઓએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું. તેથી તેમનું માઈક બંધ  કરી દેવામાં આવ્યું હતું.

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version