Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ભાજપના આ દિગ્ગજ નેતા શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ માં સામેલ થશે.. જાણો વધુ વિગતો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
21 ઓક્ટોબર 2020

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ ખડસે શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં સામેલ થશે. એકનાથ ખડસેએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાની પુષ્ટિ પણ પક્ષ દ્વારા થઈ છે. ભાજપે એકનાથ ખડસેને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઉદ્ધવ સરકારમાં ખડસેને મંત્રી પદ મળે તેવી શક્યતા છે. એકનાથ ખડસેની નજર કૃષિ મંત્રાલય પર છે જે હાલમાં શિવસેના પાસે છે.

Join Our WhatsApp Channel

ભાજપમાં ખડસેને સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાથી તે પક્ષ છોડશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. એનસીપીના નેતા શરદ પવારે પણ નિવેદન કરી જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપને બેઠો કરવામાં ખડસેનું મહત્વનું યોગદાન રહ્યું છે, ત્યારે હવે તેમને પાર્ટીએ હાંસિયામાં ધકેલી દીધા છે જે યોગ્ય નથી.

2015માં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ એકનાથ ખડસેએ ફડણવિસ સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી તેમની રાજકીય કારકિર્દી અસ્તાચલ તરફ ધકેલાઈ હોવાનું માનવામાં આવતું હતું. 2019 વિધાનસભા ચૂંટણીમાં ખડસેને ટિકિટ ના મળતા તેમણે દેવેન્દ્ર ફડણવિસ પર સીધા પ્રહારો શરૂ કર્યા હતા. આ ઉપરાંત જલગાંવમાં પાર્ટી ગિરીશ મહાજનને મહત્વ આપી રહી છે. એ પણ ખડસેની નારાજગી નું કારણ છે.

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version