286
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.
અરવિંદ કેજરીવાલે પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ભગવંત માનના નામ પર મહોર લગાવી છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભગવંત માન મુખ્યમંત્રી પદના શપથ લેશે.
21 લાખથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે, જેમાં 93 ટકા લોકોએ ભગવંત માનની તરફેણમાં મતદાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા માટે પણ વોટિંગ કરવામાં આવ્યું હતું અને તેના આધારે જ મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઘોષણા કરવામાં આવી છે.
You Might Be Interested In