Site icon News Continuous Bureau | Mumbai

વિધાનસભા ચૂંટણી પહેલા AAPનો મોટો નિર્ણય- પ્રદેશ પ્રમુખ સિવાય આખું સંગઠન માળખું વીખી નાંખ્યું- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai 

ગુજરાતમાં(Gujarat) વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા આમ આદમી પાર્ટીએ(AAP) મોટો ર્નિણય લીધો છે. આમ આદમી પાર્ટીએ તમામ સંગઠનોનું વિસર્જન કરી દીધું છે. પાર્ટીએ ગુજરાતમાં તમામ સંગઠનોના વિસર્જનની જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા(Gopal Italia) સિવાય તમામ સંગઠનોનું વિસર્જન કરવામાં આવ્યું છે. આમાં તમામ સંસ્થાઓ, પાંખો અને મીડિયા ટીમનો સમાવેશ થાય છે. આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને પાર્ટીએ આ નિર્ણય લીધો છે. હવે પાર્ટી ટૂંક સમયમાં નવા સંગઠનની(New organization) જાહેરાત કરી શકે છે.

Join Our WhatsApp Channel

જણાવવામાં આવી રહ્યું છે કે હવે ‘આપ’ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સંપૂર્ણપણે નવું સંગઠન બનાવશે. ગુજરાતની ચૂંટણીને લઈને પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે અને AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ગુજરાતની મુલાકાતે છે. હાલમાં જ કેજરીવાલ મહેસાણા(Mehsana) પહોંચ્યા હતા જ્યાં તેમણે તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો.

પાર્ટીના વરિષ્ઠ નેતાની વાત માનીએ તો છેલ્લા દિવસોમાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, આવી સ્થિતિમાં તેમને સંગઠનમાં સ્થાન આપવા અને વિધાનસભા સમક્ષ મજબૂત રણનીતિ તૈયાર કરવા ચૂંટણી, જિલ્લા પ્રમુખ બદલવા પડશે. આમ આદમી પાર્ટી ગુજરાતના 33 જિલ્લા પ્રમુખો સહિત 50 જેટલી જગ્યાઓ પર નવી નિમણૂંકો કરશે. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ(Region Vice President), પ્રદેશ મહામંત્રી(General Secretary of State), પ્રદેશ સચિવ(Secretary of State), જિલ્લા પ્રમુખ(District President) અને પ્રદેશ પ્રવક્તા, મીડિયા ઈન્ચાર્જ વગેરે પદોનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : રાજ્યસભા ચૂંટણી- મહારાષ્ટ્રના આ બે નેતાઓ નહીં કરી શકે મતદાન- મુંબઈ કોર્ટે આપ્યો ચુકાદો- જાણો શું છે સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ અત્યાર સુધી એકપણ બેઠક જીતી શકી નથી, પરંતુ આ વખતે તે કોંગ્રેસથી(congress) નારાજ અને નિરાશ લોકોના મત મેળવવામાં સફળ રહેશે તેવી આશા છે. એટલે જ પાર્ટીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દીધી છે.

Uddhav Thackeray PM Modi meeting criticism સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે ને ત્યાં મુલાકાતોનો દોર શરૂ! ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર અને શિંદે જૂથને ઘેર્યા
Malshej Ghat Kalu Waterfall Selfie Rescue માલશેજ ઘાટના કાળુ ધોધ પર સેલ્ફી લેતી વખતે યુવકનો લપસ્યો પગ, પ્રવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ
Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Exit mobile version