મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને ગોવાનો વધારાનો હવાલો, સતપાલ મલિકને મેઘાલય મોકલાયાં..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

18 ઓગસ્ટ 2020 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગોવાના રાષ્ટ્રપતિ સતપાલ મલિકની મેઘાલયમાં બદલી કરાઈ છે. ગોવાના રાજ્યપાલની જવાબદારી ભગતસિંહ કોશારીના ખભા પર રહેશે. રાષ્ટ્રપતિ ભવનથી જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ફેરફાર તેઓ ચાર્જ સંભાળવાની તારીખથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિએ ગયા વર્ષે 25 ઑક્ટોબરે મલિકની ગોવાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. તે પહેલા મલિક જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને તેમના રાજ્યપાલ તરીકેના કાર્યકાળ દરમ્યાન જ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા.

મેઘાલયના રાજ્યપાલ તથાગત રોય પર શું નિર્ણય લેવામાં આવ્યો છે તેની જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી. તેમણે તાજેતરમાં રાજકારણમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સી વિદ્યાસાગર રાવના સ્થાને કોશીયારીને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ હજી એક વર્ષ બાકી છે. તેઓ પણ ભૂતકાળમાં અજીત પવારના પ્રકરણ વેળા મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલના કેન્દ્રમાં રહયાં હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More