Site icon

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને ગોવાનો વધારાનો હવાલો, સતપાલ મલિકને મેઘાલય મોકલાયાં..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 ઓગસ્ટ 2020 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગોવાના રાષ્ટ્રપતિ સતપાલ મલિકની મેઘાલયમાં બદલી કરાઈ છે. ગોવાના રાજ્યપાલની જવાબદારી ભગતસિંહ કોશારીના ખભા પર રહેશે. રાષ્ટ્રપતિ ભવનથી જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ફેરફાર તેઓ ચાર્જ સંભાળવાની તારીખથી અમલમાં આવશે. રાષ્ટ્રપતિએ ગયા વર્ષે 25 ઑક્ટોબરે મલિકની ગોવાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. તે પહેલા મલિક જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને તેમના રાજ્યપાલ તરીકેના કાર્યકાળ દરમ્યાન જ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા.

મેઘાલયના રાજ્યપાલ તથાગત રોય પર શું નિર્ણય લેવામાં આવ્યો છે તેની જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી. તેમણે તાજેતરમાં રાજકારણમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સી વિદ્યાસાગર રાવના સ્થાને કોશીયારીને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ હજી એક વર્ષ બાકી છે. તેઓ પણ ભૂતકાળમાં અજીત પવારના પ્રકરણ વેળા મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલના કેન્દ્રમાં રહયાં હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version