Site icon News Continuous Bureau | Mumbai

સુશાંત સિંહ મુદ્દે રાણે અને ઠાકરે પરિવાર સામસામે.. એકે કહ્યું ‘આદિત્યએ રાજીનામું આપવું પડશે’.. બીજાએ કહ્યું ‘કેન્દ્ર સરકાર ઉથલાવી દેશું’..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

13 ઓગસ્ટ 2020

ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત મુદ્દે મહારાષ્ટ્ર માં સત્તાધારી પક્ષ શિવસેના અને ભાજપ સામસામે આવી ગયા છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિશે મોટું નિવેદન આપ્યું છે.  સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પ્રકરણે આદિત્ય ઠાકરે નો સંબંધ હોવાનો આક્ષેપ આ અગાઉ નારાયણ રાણે પણ લગાવી ચૂક્યા છે. 

નિલેશ રાણેએ જાહેરમાં ટ્વીટ કરી લખ્યું છે કે 'આદિત્ય ઠાકરે નું નામ સર્વોચ્ચ અદાલતના રેકોર્ડમાં આવી ગયું છે તેમની સુશાંત સિંહ પ્રકરણમાં કહેવાતી સંડોવણી જાહેર થઈ ગઈ છે.' અહીં એ જાણવું અગત્યનું છે કે ભાજપના કોઈ જવાબદાર નેતાએ સુશાંતસિંહ પ્રકરણમાં આદિત્યનું સીધું નામ લીધું નથી.

સુશાંત સિંહ મુદ્દે રાણે કુટુંબ બિન્દાસ રીતે આદિત્ય ઠાકરેનું નામ લઇ રહ્યો છે. પરંતુ શિવસેનાએ હજી સુધી રાણે કુટુંબ સામે કોઈ ફરિયાદ પણ નથી કરી કે નથી માનહાની નો દાવો કર્યો ..

બીજી બાજુ શિવસેના નેતા સંજય રાઉતે ભાજપને ચેતવણી આપી છે કે 'જો કોઈ મુદ્દાને કારણે મહારાષ્ટ્રની સરકાર અસ્થિર બનશે. તો, કેન્દ્ર સરકારને ઉથલાવતા અમને વાર નહીં લાગે" વધુમાં સંજય રાઉતે કહ્યું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત દેશના તમામ રાજ્યોએ ટેકો આપ્યો છે. આથી શિવસેના ઈચ્છે છે કે આ દેશ રાજકારણ વિના આગળ વધે..'

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version