Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની આ તારીખે થશે મુલાકાત, બેઠક પહેલા રાજકીય ચર્ચાએ પકડ્યુ જોર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે.  

આ પરિસ્થિતિમાં દિલ્હીમાં 26 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. જેને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

ગૃહમંત્રી અમિત શાહે દેશમાં નક્સલવાદી ક્રિયાઓ, નક્સલ પ્રભાવિત ભાગોનો વિકાસ જેવા મુદ્દાઓ પર બેઠક બોલાવી છે. 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ બેઠકમાં ભાગ લેશે. ત્યારે હવે લોકોની નજર આ બેઠક પર મંડરાયેલી છે. 

સાથે સવાલ ઉભા થઈ રહ્યા છે કે,શું અમિત શાહ સાથે વન ટુ વન બેઠક કરવામાં આવશે? શું ભાજપ અને શિવસેના વચ્ચેનું અંતર કાપવાનો કોઈ રસ્તો આ બેઠકમાં કાઢવામાં આવશે? 

ઉલ્લેખનીય છે કે આ બેઠક માટે દિલ્હી જતા પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે એક બેઠક યોજી હતી. 

આ બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ, મુખ્ય સચિવ સીતારામ કુંટે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બદલાવા જઇ રહ્યું છે તમારી મનપસંદ સીરિયલ્સનું સરનામું, ઝી એન્ટરટેન્ટમેન્ટનું આ એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક  સાથે થશે મર્જર, બોર્ડે આપી મંજૂરી

Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Hawala Racket। દિલ્હીસુરત હવાલા નેટવર્ક આમ આદમી પાર્ટીના નામે ૧.૨ કરોડની રોકડ પકડાતા ખળભળાટ, જાણો શું છે મામલો?
Exit mobile version