Site icon News Continuous Bureau | Mumbai

યુદ્ધના સમયે જાનહાનિ ટાળવા અનોખો પ્રયાસ, ગુજરાતના આ શહેરના વૈજ્ઞાનિકે શોધ્યુ ન્યૂક્લિયર રેડિએશન પ્રુફ બંકર; જાણો તેની ખાસિયતો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 04 માર્ચ, 2022,          

Join Our WhatsApp Channel

શુક્રવાર,  

યુદ્ધમા હવે બોમ્બ અને ગોળીઓની સાથે ન્યુક્લિયર અને બાયોકેમિકલ હથિયારોનો ઉપયોગ વધ્યો છે. જે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં પણ જોઈ શકાય છે. આવા ઘાતક હથિયારોના ઉપયોગના લીધે ભવિષ્યની પેઢી માટે પરિણામો અને તેની છાપ વર્ષો સુધી જોવા મળે છે. આવા બાયોકેમિકલ અને ન્યૂક્લિયર હથિયારો સામે રક્ષણ કેમ મેળવવું તે એક સવાલ છે, ત્યારે અમદાવાદના એક વૈજ્ઞાનિક રાગેશ શાહે રેડિએશન પ્રુફ બંકર બનાવ્યા છે.

આ બંકર કેમિકલ, બાયોલોજીકલ, રેડીયોલોજીકલ, ન્યુક્લિયર જેવા હથિયારો સામે રક્ષણ આપી શકે છે. જેમાં 85 પ્રકારની દવાઓ પણ રાખવામાં આવી શકે છે. આ સાથે જ બહારના તાપમાન સામે અંદરના લોકોને રક્ષણ મળી શકે છે. યુદ્ધના સમયમાં લશ્કરના જવાનો અને વી.વી.આઈ.પીઓના જીવને રક્ષણ આપવા માટે આ બંકર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. 

મોંઘવારીનો વધુ એક માર! ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, સીંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં આટલા રૂપિયાનો ઝીંકાયો વધારો…

આ બંકર સાથે જવાનોને રેડિએશનથી બચાવવા માટે એક ખાસ ટેબ્લેટ્સ બનાવવામાં આવી છે. રેડિએશન થાઇરોડને બ્લોક કરે છે. ત્યારે આ એક ટેબ્લેટ્સ 24 કલાક સુધી રેડિએશનથી બચાવી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જો યુદ્ધ થાય તો લોકોના જીવની ખુમારી ના થાય તેવો પ્રાયસ કરવા માટે આ બંકર ઉપયોગી થઈ શકે છે. વૈજ્ઞાનિકો કોરોનાને પણ બાયોલોજીકલ હથિયાર માને છે અને તેમાં પણ આ બંકર કામ લાગી શકે છે. 

Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Thane Banner Incident થાણેના તીન હાથ નાકા પર ફૂટ ઓવર બ્રિજ પરથી પડ્યું વિશાળ બેનર, બાઈક સવાર માંડ માંડ બચ્યો; જુઓ વિડીયો
Ambaji Temple Donation Theft મંદિરો કેટલા સુરક્ષિત? અયોધ્યા બાદ હવે અંબાજીમાં પણ દાન ચોરીનો મામલો, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર પ્રશ્નો.
Maharashtra Weather રાહત કે મુસીબત? મહારાષ્ટ્રમાં ચોમાસું પડ્યું નબળું, આ અઠવાડિયું કોરું રહેવાની શક્યતા; ગરમી અને બફારો વધશે
Exit mobile version