Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.

દક્ષિણ રેલવેના ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર પુનર્વિકાસ કાર્યના બીજા તબક્કાના સંદર્ભમાં લાઇન બ્લોક અને પાવર બ્લોકના કારણે પ્લેટફોર્મ નં. 7, 8 અને 9 પ્રભાવિત થશે

Ahmedabad Tiruchirappalli Special Train ચેન્નઈ એગ્મોર સ્ટેશન

Ahmedabad Tiruchirappalli Special Train ચેન્નઈ એગ્મોર સ્ટેશન

જેના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે જેની વિગતો નીચે મુજબ છે:

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

1. 18, 25 સપ્ટેમ્બર તથા 2, 9, 16, 23, 30 ઑક્ટોબર અને 6 નવેમ્બર 2025ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન સંખ્યા 09419 અમદાવાદ – તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા રેનીગૂંટા, તિરુત્તાની, મેલપક્કમ, કાટપાડી અને વેલ્લોર કૅન્ટ ના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેનને તિરુત્તાની સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યુ છે.
આ ટ્રેન અરક્કોણમ, પેરંબુર, ચેન્નઈ એગ્મોર, તાંબરમ અને ચેંગલપટ્ટુ સ્ટેશનો પર નહીં જાય.

2. 14, 21, 28 સપ્ટેમ્બર તથા 5, 12, 19, 26 ઑક્ટોબર અને 2, 9 નવેમ્બર 2025એ તિરુચિરાપલ્લીથી ચાલનારી ટ્રેન સંખ્યા 09420 તિરુચિરાપલ્લી – અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા વેલ્લોર કૅન્ટ, કાટપાડી, મેલપક્કમ, તિરુત્તાની અને રેનીગૂંટાના રસ્તે ચાલશે. આ દરમિયાન તિરુત્તાની સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
આ ટ્રેન ચેંગલપટ્ટુ, તાંબરમ, ચેન્નઈ સેન્ટ્રલ, પેરંબુર અને અરક્કોણમ સ્ટેશનો પર નહીં જાય.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ

મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખી મુસાફરી શરૂ કરે. ટ્રેનોની વિગતવાર માહિતી માટે કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version