Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે વધુ એક દાવો, કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત કુલપતિ તિવારીએ હવે કર્યો આ દાવો..

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

યુપીના(UP) વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. 

હવે કાશી વિશ્વનાથ મંદિરના(Kashi Vishwanath Temple) મહંતે ફરી દાવો કર્યો છે કે, મસ્જિદના ભોંયરામાં ખજાનો છુપાયેલો છે.

મીડિયા સાથેની વાતચીતમાં મંદિરના મહંત કુલપતિ તિવારીએ કહ્યું કે, જ્ઞાનવાપીની પૂર્વ દિશામાં બનેલા ભોંયરામાં ખજાનો છુપાયેલો છે. આ જગ્યા ઐશ્વર્ય મંડપ(Aishwarya Mandap) તરીકે ઓળખાય છે.

મહંતે સ્કંદ પુરાણના શ્લોકો થકી પોતાની વાતને સાબિત કરવાનો પ્રયત્ન કરતા કહ્યુ કે, લોકો જેને ભોંયરુ કહે છે તેની નીચે ખજાનો પણ છે.

અગાઉ તેમણે જ્ઞાનવાપી મસ્જિદમાં એક શિવલિંગ(Shivling) હોવાનો દાવો પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલ જ્ઞાનવાપી મસ્જિદના કરવામાં આવેલા સર્વે બાદ વજૂખાનામાંથી શિવલિંગ મળી આવ્યુ હોવાનો દાવાનો મામલો કોર્ટમાં છે અને આગામી દિવસોમાં અદાલત ચુકાદો આપે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો :   રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ લંડનમાં.. નિતીશે પોતાના તમામ ધારાસભ્યોન પટના બોલાવ્યા. તો શું બિહારમાં મોટી રમત રમાઈ રહી છે? જાણો આટા-પાટા..

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version