Site icon

આજી-૨ ડેમ ભરાયો: ચાર દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

આજી-૨ ડેમ ભરાયો: ચાર દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

Aji-2 dam filled: four gates opened, people of Hethwas villages warned to be careful

Aji-2 dam filled: four gates opened, people of Hethwas villages warned to be careful

News Continuous Bureau | Mumbai

આજી-૨ ડેમ ભરાયો: ચાર દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના રાજકોટવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. વાવાઝોડામાં થયેલ વરસાદને કારણે રાજકોટની આજી-૨ છલકાઈ ગઈ છે. આજી – ૨ છલકાતા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહેવાસીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.અને લોકોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેનો આજી-૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયેલ હોવાથી ડેમના ચાર દરવાજા ૧.૫ ફુટે ખોલવામાં આવ્યા હતા, હતા. જે વધારીને ૧૪ દરવાજા ૧.૫ ફુટ આઠ કલાકે ખોલવામાં આવશે. ડેમમાં ૨૨૦૦ ક્યુસેકના પ્રવાહની આવક છે અને ડેમમાંથી 2200 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવશે. જળાશયની ભરપૂર સપાટી 73.76 મીટર છે અને હાલની સપાટી 68 મીટર છે આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા તથા જૂના નારણકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sunday Train Block : સુરત-વડોદરા વિભાગના સયાન યાર્ડમાં બ્લોક થવાના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થઈ છે

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version