Site icon

સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાના કારણે ૧૮ સિંહ ગુમ થયાના તમામ અહેવાલ ખોટા; વન વિભાગે કરી આ સ્પષ્ટતા, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

તાઉતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રનાં જંગલોમાં ૧૮ સિંહ ગુમ થયાના અહેવાલ મીડિયામાં ફરતા થયા હતા. તે બાદ વન વિભાગે આ વિશે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે ગીર અને બૃહદ્ ગીરના તમામ સિંહ સલામત છે. આ વિસ્તારના એક પણ સિંહનું વાવાઝોડાને કારણે મૃત્યુ કે કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી.

આ બાબતે સ્પષ્ટતા કરતાં જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક ડી.ટી. વસાવડાએ પત્ર લખી માહિતી આપી હતી કે વન વિભાગ દ્વારા સિંહની સલામતી માટે સતત કાળજી લેવામાં આવી રહી છે અને તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સિંહની સુરક્ષા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહે પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં સિંહ વસે છે. વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયાકાંઠે વસતા અને અન્ય તમામ સિંહની સલામતી માટે પગલાં લેવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે રાજુલા વિસ્તારના સિંહ દરિયાથી દૂર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાની વાત પણ ધ્યાનમાં આવી હોવાનું તેમણે પત્રમાં લખ્યું હતું.

 

Lions Missing Surashtra

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version