News Continuous Bureau | Mumbai
Allahabad Museum: અલ્હાબાદ મ્યુઝિયમમાં ( Prayagraj ) સૌથી જૂના સાહિત્યિક ( oldest literary ) અને ધાર્મિક ગ્રંથોની પાંચસોથી એક હજાર વર્ષ જૂની દુર્લભ હસ્તપ્રતોનો સંગ્રહ ( Manuscript collection ) સડવાથી નાશ પામ્યો છે. આ ઉપરાંત તાડના પાંદડામાં ઉધઈનો ઉપદ્રવ થયો છે. તેમજ આ તાડપત્ર કયા સમયગાળાના છે તે હજુ સ્પષ્ટ નથી.
જો કે, ઈ.સ. પૂર્વે પાંચમી સદીથી લેખન સામગ્રી તરીકે તાડપત્રનો ઉપયોગ થતો હોવાના પુરાવા છે. આ હસ્તપ્રતો ( manuscripts ) સ્ટ્રોંગ રૂમના ડબલ લોકમાં રાખવાને બદલે જમીન પર ત્યજી દેવાયેલ હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. માહિતી મળ્યા બાદ આ મામલે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.
રૂમમાં એક બોક્સમાં અન્ય તાડપત્રની દુર્લભ હસ્તપ્રતો પણ મળી આવી હતી….
તેમ જ આ અંગે અલ્હાબાદ મ્યુઝિયમના ડાયરેકટરને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મ્યુઝિયમમાં ભારે રાજનીતિ ચાલી રહી છે. મને હસ્તપ્રતોને કોઈ નુકસાન થયું છે અથવા ઉધઈના ઉપદ્રવ દ્વારા તાડપત્રને કોઈ નુકસાન થયું છે. તેની જાણ કરવામાં આવી નથી.
આ સમાચાર પણ વાંચો : One Vehicle One FASTag: NHAIએ આપી મોટી રાહત, વન વ્હીકલ, વન FASTag ની સમયમર્યાદા માર્ચના અંત સુધી લંબાવી, જાણો શું છે કારણ…
એક અહેવાલ મુજબ, સમિતિએ તપાસ રિપોર્ટમાં લખ્યું છે કે, રૂમમાં એક બોક્સમાં અન્ય તાડપત્રની દુર્લભ હસ્તપ્રતો પણ મળી આવી હતી. પામ લીફની 10 હસ્તપ્રતોમાંથી મોટાભાગની ઉધઈનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. આ પાલી અથવા ઉડિયા ભાષાઓમાં ( Odia languages ) લખાયેલ છે.
આ નાશ પામેલી હસ્તપ્રતોમાં ફિરદૌસી દ્વારા લખાયેલ પર્સિયન મહાકાવ્ય શાહનામા પણ સામેલ છે. આ કૃતિ ફિરદૌસી દ્વારા 1010 માં ઈરાન પર આરબ વિજય પછી લખવામાં આવી હતી. આમાં ઈ.સ. 636 પહેલાના શાસકોનું જીવનચરિત્ર લખવામાં આવ્યું છે.
