આ કોંગ્રેસ શાસિત રાજ્યમાં રાજકીય ભૂકંપ, મુખ્યમંત્રી સહિત સમગ્ર કેબિનેટે આપ્યું રાજીનામુ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

શનિવાર 

આજે સવારથી પંજાબના રાજકારણમાં મોટી ઉથલપાથલ થયેલી છે ત્યારે આખરે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજીનામું આપ્યું છે. 

40 ધારાસભ્યોએ મોર્ચો ખોલ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે.

આ સાથે જ તેમના મંત્રીમંડળે પણ રાજીનામુ સોંપી દીધું છે.

હવે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે  

સૂત્રોના મતે કેપ્ટનના રાજીનામા પછી પંજાબમાં સીએમ પદની રેસમાં સુનીલ જાખડ, સુખજિંદર રંધાવા અને પ્રતાપ સિંહ બાજવાનું નામ સૌથી આગળ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પંજાબ કોંગ્રેસમાં ખટરાગ ચાલી રહ્યો છે. ખાસ કરીને કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલતા વિવાદોના કારણે જુથવાદ ઊભરી આવ્યો હતો

કોરોનાકાળમાં લોકોના 'મસીહા' બનેલા સોનુ સૂદ પોતે જ મુશ્કેલીમાં મુકાયા, અભિનેતા પર અધધ આટલા કરોડથી વધારેની ટેક્સ ચોરીમાં સામેલ હોવાનો IT વિભાગનો દાવો; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More