Site icon News Continuous Bureau | Mumbai

આ કોંગ્રેસ શાસિત રાજ્યમાં રાજકીય ભૂકંપ, મુખ્યમંત્રી સહિત સમગ્ર કેબિનેટે આપ્યું રાજીનામુ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર 

આજે સવારથી પંજાબના રાજકારણમાં મોટી ઉથલપાથલ થયેલી છે ત્યારે આખરે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજીનામું આપ્યું છે. 

40 ધારાસભ્યોએ મોર્ચો ખોલ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે.

આ સાથે જ તેમના મંત્રીમંડળે પણ રાજીનામુ સોંપી દીધું છે.

હવે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે  

સૂત્રોના મતે કેપ્ટનના રાજીનામા પછી પંજાબમાં સીએમ પદની રેસમાં સુનીલ જાખડ, સુખજિંદર રંધાવા અને પ્રતાપ સિંહ બાજવાનું નામ સૌથી આગળ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પંજાબ કોંગ્રેસમાં ખટરાગ ચાલી રહ્યો છે. ખાસ કરીને કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલતા વિવાદોના કારણે જુથવાદ ઊભરી આવ્યો હતો

કોરોનાકાળમાં લોકોના 'મસીહા' બનેલા સોનુ સૂદ પોતે જ મુશ્કેલીમાં મુકાયા, અભિનેતા પર અધધ આટલા કરોડથી વધારેની ટેક્સ ચોરીમાં સામેલ હોવાનો IT વિભાગનો દાવો; જાણો વિગતે

Tamil Nadu political shift DMK leader joins TVK તમિલનાડુમાં રાજકીય સમીકરણો બદલાયા, ડીએમકે છોડીને TVKમાં જોડાશે આ દિગ્ગજ નેતા..
Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ૨૧ જિલ્લાઓમાં હવામાન વિભાગનું એલર્ટ..
High Court Queries FDA Procedure “આ યોગ્ય નથી…”, બોમ્બે હાઈકોર્ટે અન્ન અને ઔષધ વહીવટ (FDA) ની કાર્યવાહી પદ્ધતિ પર ઉઠાવ્યા ગંભીર સવાલો
Shivsena Symbol Hearing Supreme Court ધનુષબાણ કોનું? શિવસેના પક્ષ અને ચિહ્ન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી.
Exit mobile version