Site icon

મહારાષ્ટ્રમાં આવેલી કુદરતી આફત અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેમના જન્મદિવસ અંગે લીધો આ મોટો નિર્ણય ; લોકોને કરી આ ખાસ અપીલ 

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત અન્ય દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 113 પર પહોંચી ગયો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મચાવેલા આ કહેરને પગલે મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આવતીકાલે એટલે કે 27મી જુલાઈએ તેમનો જન્મદિવસ ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને તેમના જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારનો કોઈ કાર્યક્રમ યોજવો ન જોઇએ. સાથે જ ઠાકરેએ લોકોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં દાન આપવા વિનંતી પણ કરી છે.

તેમણે લોકોને હોર્ડિંગ્સ ન લગાવવાની અને વ્યક્તિગત રૂપે તેમને મળવા ન આવવાની અપીલ કરી છે.  

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે કોંકણ ક્ષેત્રના રત્નાગીરી જિલ્લામાં ભારે પુરથી અસરગ્રસ્ત ચીપલૂન વિસ્તારની મુલાકાત લીધી હતી.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version