Site icon

PM મોદી બાદ હવે મહારાષ્ટ્ર આવશે અમિત શાહ, 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન આ 3 જિલ્લામાં કરશે મંથન..

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતે આવ્યા છે. આ પ્રવાસમાં તેઓએ મહારાષ્ટ્રને બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો (મુંબઈથી શિરડી અને મુંબઈથી સોલાપુર) ગિફ્ટ આપી છે. પીએમ મોદીની મુંબઈ મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે આવવાના છે.

Amit Shah on 2-day visit to Kolhapur from Feb 19

PM મોદી બાદ હવે મહારાષ્ટ્ર આવશે અમિત શાહ, 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન આ 3 જિલ્લામાં કરશે મંથન..

News Continuous Bureau | Mumbai

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતે આવ્યા છે. આ પ્રવાસમાં તેઓએ મહારાષ્ટ્રને બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો (મુંબઈથી શિરડી અને મુંબઈથી સોલાપુર) ગિફ્ટ આપી છે. પીએમ મોદીની મુંબઈ મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે આવવાના છે. તેઓ 17, 18 અને 19 ફેબ્રુઆરીએ નાગપુર, પુણે અને કોલ્હાપુરના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન શાહ અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. ભાજપની સંગઠનાત્મક બેઠકોમાં હાજરી આપશે. આગામી પુણેના કસ્બા અને પિંપરી ચિંચવડની ચિંચવડ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીતની રણનીતિ અંગે ચર્ચા કરશે.

Join Our WhatsApp Community

આ સિવાય અમિત શાહ આગામી નગરપાલિકા ચૂંટણીઓ અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપની ક્ષમતા અને ભવિષ્યમાં તેની તાકાત વધારવાની તૈયારીઓનો હિસાબ લેશે. ભાજપ ચૂંટણીને કેટલી ગંભીરતાથી લે છે તે અવાર નવાર સાબિત થયું છે. કસ્બા અને ચિંચવડ પેટાચૂંટણી માટે 26 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પુણે, નાગપુર અને કોલ્હાપુરની મુલાકાતે આવવાના છે.

વિકાસ કામોનું લોકાર્પણ, શિવાજી જયંતિને લગતા કાર્યક્રમો, ચૂંટણી દ્વારા…

આગામી 18 ફેબ્રુઆરીના રોજ ‘મોદી@ 20’ પુસ્તકનું પ્રકાશન થશે. તે સિવાય 19 ફેબ્રુઆરીએ શિવાજી જયંતી છે. જાણકારોની સલાહ મુજબ ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી અને શિવાજી મહારાજની જયંતીના સંયોગનો ફાયદો ઉઠાવતા અમિત શાહને મહારાષ્ટ્રમાં બોલાવ્યા છે. સ્વર્ગીય બાબાસહેબ પુરંદરેની સંકલ્પનાથી તૈયાર થયેલા છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત કાર્યક્રમમાં તે હાજર રહેશે.

આ સમાચાર પણ વાંચો : તુર્કી સીરિયામાં તબાહી વચ્ચે હવે ઈન્ડોનેશિયામાં ધરતી ધ્રૂજી, ચારના મોત

નાગપુર, પુણે અને કોલ્હાપુરમાં ત્રણ દિવસનો કાર્યક્રમ

આ પહેલા 17 ફેબ્રુઆરીએ અમિત શાહ નાગપુરમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે અને 19 ફેબ્રુઆરીએ તેઓ કોલ્હાપુરમાં જનસભાને સંબોધિત કરશે.

પુણેની કસ્બા વિધાનસભા પેટાચૂંટણીનું ગણિત

પુણેની કસ્બા પેઠની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસનું મોટું ટેન્શન દૂર થઈ ગયુ છે. રાહુલ ગાંધીના ફોન કોલ બાદ બળવાખોર ઉમેદવાર બાળાસાહેબ દાભેકરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ભાજપના દિવંગત ધારાસભ્ય મુક્તા તિલકના અવસાન બાદ ભાજપે અહીં તેમના પતિ શૈલેષ તિલકને ટિકિટ આપી નથી. તેના બદલે ભાજપે હેમંત રાસનેને ઉમેદવાર બનાવ્યા છે.

તિલક પરિવારને ટિકિટ ન આપવાના કારણે બ્રાહ્મણ સમાજમાં નારાજગી હોવાની ચર્ચા છે. આ જ કારણ છે કે બ્રાહ્મણ ફેડરેશનના પ્રમુખ અનિલ દવે ભાજપના વોટ કાપવા ચૂંટણી લડી રહ્યા છે. આ વિસ્તારમાં બ્રાહ્મણ મતદારો 30 ટકા છે. બીજી તરફ મહાવિકાસ અઘાડીના સંયુક્ત ઉમેદવાર તરીકે કોંગ્રેસે રવિન્દ્ર ધાંગેકરને ટિકિટ આપી છે.

પિંપરી ચિંચવડની ચિંચવડ વિધાનસભા પેટાચૂંટણીનું ગણિત

પિંપરી ચિંચવાડે ભાજપના દિવંગત ધારાસભ્ય લક્ષ્મણ જગતાપની પત્ની અશ્વિની જગતાપને ટિકિટ આપી છે. બીજી તરફ NCPએ મહાવિકાસ અઘાડીના સંયુક્ત ઉમેદવાર તરીકે નાના કેટને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ મહાવિકાસ આઘાડીમાં સામેલ શિવસેનાના નેતા રાહુલ કલાટેએ બળવો કરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની ધરોહરને યાત્રાધામો સાથે જોડવા તૈયાર વંદે ભારત ટ્રેન, PM નરેન્દ્ર મોદી બતાવી લીલી ઝંડી, જાણો ટિકિટની કિંમત અને સમયપત્રક

શિવસેનાના નેતા સચિન આહિર આજે તેમને ઉમેદવારી પાછી ખેંચવા સમજાવવા આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ પણ તેમને ફોન કરીને ઉમેદવારી પાછી ખેંચવા વિનંતી કરી હતી. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ રાહુલ કલાટેએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી ન હતી. આ રીતે ચિંચવડની ચૂંટણી ત્રિકોણીય બની છે. જેના કારણે મહાવિકાસ અઘાડીના મતોનું વિભાજન નિશ્ચિત છે. આ બધાની વચ્ચે અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાતની શું અસર થાય છે તે જોવાનું એ રહેશે.

Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Mumbai Mayor Election Update: ૩૧ જાન્યુઆરીએ મુંબઈ મેયરની ચૂંટણી નહીં યોજાય; ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે કયા મુદ્દે અટકી છે વાત? જાણો વિગત
Exit mobile version