News Continuous Bureau | Mumbai
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના સર્વાંગી વિકાસ માટે સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદનો લાભ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે
- કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાજ્યોને સશક્ત બનાવવા અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારી સમજણને પ્રોત્સાહન આપવા સહકારી સંઘવાદના અભિગમ પર ભાર મૂક્યો
- મોદી સરકારમાં, ઝોનલ કાઉન્સિલની ભૂમિકાને એડવાઇઝરીમાંથી એક્શન પ્લેટફોર્મમાં બદલવામાં આવી છે, જેથી તેમને અસરકારક બનાવી શકાય
- ઝોનલ કાઉન્સિલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાણકામ, પર્યાવરણ અને જંગલો, ખાદ્ય સુરક્ષાના માપદંડો અને પ્રાદેશિક સ્તરે સામાન્ય હિતના અન્ય વિષયો સાથે સંબંધિત વિસ્તૃત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે
રાજ્ય પુનર્ગઠન કાયદો, 1956ની કલમ 15-22 હેઠળ વર્ષ 1957માં પાંચ ઝોનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી આ પાંચ ઝોનલ કાઉન્સિલના ચેરમેન હોય છે. જ્યારે સંબંધિત ઝોનલ કાઉન્સિલમાં સામેલ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના એડમિનિસ્ટ્રેટર/લેફ્ટનન્ટ ગવર્નર તેના સભ્યો હોય છે. ઝોનલ કાઉન્સિલમાં સમાવિષ્ટ રાજ્યોના મુખ્યમંત્રીઓ વારાફરતી ઉપાધ્યક્ષ બને છે. રાજ્યપાલ દ્વારા દરેક રાજ્યમાંથી વધુ બે મંત્રીઓને પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવે છે. દરેક ઝોનલ કાઉન્સિલે મુખ્ય સચિવના સ્તરે એક સ્થાયી સમિતિની પણ રચના કરી છે. Amit Shah Pune Visit: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના સર્વાંગી વિકાસ માટે સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદનો લાભ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સશક્ત રાષ્ટ્ર જ સશક્ત રાષ્ટ્ર બનાવે તે ભાવના સાથે ઝોનલ કાઉન્સિલો બે કે તેથી વધુ રાજ્યો અથવા કેન્દ્ર અને રાજ્યોને અસર કરતા મુદ્દાઓ પર નિયમિત સંવાદ અને ચર્ચા માટે વ્યવસ્થિત વ્યવસ્થા મારફતે સહકાર વધારવા માટે એક મંચ પ્રદાન કરે છે.
આ સમાચાર પણ વાંચો: Mahayuti Cold War : મહાયુતીમાં ચાલી રહ્યું છે શીત યુદ્ધ ? ડીસીએમ એકનાથ શિંદેએ કર્યો ખુલાસો; ઉદ્ધવ ઠાકરેને આપી સલાહ..
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાજ્યોને સશક્ત બનાવવા અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારી સમજણને પ્રોત્સાહન આપવા સહકારી સંઘવાદના અભિગમ પર ભાર મૂક્યો છે. મોદી સરકારમાં ઝોનલ કાઉન્સિલની ભૂમિકાને અસરકારક બનાવવા માટે એડવાઇઝરીમાંથી એક્શન પ્લેટફોર્મમાં બદલવામાં આવી છે. ગયા વર્ષે સધર્ન કાઉન્સિલને બાદ કરતાં પાંચેય ઝોનલ કાઉન્સિલની સંબંધિત સ્થાયી સમિતિઓની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.
Amit Shah Pune Visit: ઝોનલ કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યો તથા આ ક્ષેત્રના એક કે વધુ રાજ્યો વચ્ચેના મુદ્દાઓ ઉઠાવે છે. એટલે ઝોનલ કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તથા આ ક્ષેત્રનાં કેટલાંક રાજ્યો વચ્ચેનાં વિવાદો અને સમસ્યાઓનું સમાધાન કરવા માટે ઉત્કૃષ્ટ મંચ પ્રદાન કરે છે. ઝોનલ કાઉન્સિલમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થાય છે. જેમાં મહિલાઓ અને બાળકો સામે યૌન અપરાધ/બળાત્કારનાં કેસોની ઝડપી તપાસ તથા આ પ્રકારનાં કેસોનાં ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (એફટીએસસી)નો અમલ, દરેક ગામમાં 5 કિલોમીટરની અંદર બેંકો/ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શાખાઓની સુવિધા, ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ઇઆરએસ-112), માળખાગત સુવિધાઓ, ખાણકામ, પર્યાવરણ અને જંગલો, ખાદ્ય સુરક્ષાના માપદંડો અને પ્રાદેશિક સ્તરે સામાન્ય હિતના અન્ય વિષયોને લગતા મુદ્દાઓનો અમલ પણ સામેલ છે. ઝોનલ કાઉન્સિલની દરેક બેઠકમાં રાષ્ટ્રીય મહત્વના ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવે છે. જેમાં પાવર ઓપરેશન્સ, અર્બન માસ્ટર પ્લાન, પોષણ અભિયાન દ્વારા બાળકોમાં કુપોષણને દૂર કરવું, શાળાના બાળકોના ડ્રોપઆઉટ રેટને ઘટાડવા પર ચર્ચા, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકારી હોસ્પિટલોની ભાગીદારી, પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)ને મજબૂત કરવી અને સામાન્ય હિતના અન્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed