Site icon

Gujarat Government: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, તહેવારો દરમિયાન આ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરાશે.

Gujarat Government: તહેવારો દરમિયાન અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરાશે- અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા. 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' અંતર્ગત ઓગસ્ટ-૨૦૨૪ માસમાં ઘઉં,ચોખા અને 'શ્રી અન્ન'-બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ.

An important decision of the Gujarat Government, extra sugar and cooking oil will be distributed to these families at a concessional rate during the festivals.

An important decision of the Gujarat Government, extra sugar and cooking oil will be distributed to these families at a concessional rate during the festivals.

News Continuous Bureau | Mumbai

Gujarat Government: ગુજરાતના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો ( BPL families ) જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તેમ,અન્ન,નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું. 

Join Our WhatsApp Community

નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇએ વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર ( Festive Season ) નિમિત્તે N.F.S.A.-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ –  સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ ૧ લિટર પાઉચ રૂ. ૧૦૦ પ્રતિ લિટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની ૧ કિ.ગ્રા.ખાંડ એટલે કે બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૨૨ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ.૧૫ ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

 મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અન્ન,નાગરિક પુરવઠા વિભાગ દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા- ૨૦૧૩” ( NFSA ) હેઠળ સમાવિષ્ટ ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩.૬૦ કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” ( Pradhan Mantri Garib Kalyan Anna Yojana  ) અંતર્ગત ઓગસ્ટ-૨૦૨૪ માસમાં ઘઉં, ચોખા અને “શ્રી અન્ન”  – બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની ૧૭,૦૦૦ થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે તેમ,મંત્રીશ્રી ઉમેર્યું હતું.

અન્ન, નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતના ( Gujarat ) ૮ લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ ૧૫ કિલો ઘઉં, ૧૫ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૩૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો: PM Modi: PM મોદીએ પાકની 109 નવી જાતોનું કર્યું વિમોચન, આ પ્રસંગે ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે પ્રધાનમંત્રીએ કરી ચર્ચા.

એ જ રીતે ગુજરાતના ૬૬ લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો”ની ( Priority House Hold – P.H.H. ) ૩.૨૩ કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ ૨ કિલો ઘઉં, ૨ કિલો ચોખા અને ૧ કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ ૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો ૧૦ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા અને ૫ કિલો બાજરી મળી કુલ ૨૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

ગુજરાત સરકારની યોજના હેઠળ અને N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડદીઠ ૧ કિ.ગ્રા ચણા. રૂ. ૩૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૫૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

તેમજ ગુજરાત સરકારની યોજના હેઠળ N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૧ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આમ, ગુજરાત સરકાર N.F.S.A ૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે પોષણ સલામતી પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર આ યોજનાઓ દ્વારા ગુજરાતના નાગરિકોના સર્વાંગી વિકાસ તરફ આગેકૂચ નિશ્ચિત કરી રહી છે,તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો: World Elephant Day : દેશમાં હાથીઓની સંખ્યામાં થયો વધારો, PM મોદીએ હાથીઓના રક્ષણ માટેના વ્યાપક સમુદાયના પ્રયાસોની કરી પ્રશંસા

Badrinath Kapat Bandh: બદ્રીનાથના કપાટ બંધ થતા શિયાળાની પૂજા માટે વિશેષ વ્યવસ્થા; દર્શનાર્થીઓ માટે સરકારે લીધા જરૂરી પગલાં, વાંચો સંપૂર્ણ વિગતો
PM Modi: PM મોદીનો સમસ્તીપુર માં લાલુ પરિવાર પર આકરો પ્રહાર: ‘આ લોકો જામીન પર ફરી રહ્યા છે, પરંતુ…’ – કહી દીધી આ મોટી વાત
Woman Doctor: ડૉક્ટરને મળી ન્યાયની જગ્યાએ મોત: સતારામાં પોલીસ વિવાદ અને ‘સિનિયરના દબાણ’થી કંટાળી મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી
Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Exit mobile version