Site icon News Continuous Bureau | Mumbai

વાહ, શું વાત છે!! આ રાજ્ય સરકાર બનશે હિન્દુઓની આસ્થાની ‘રક્ષક’, બનાવશે 3000 મંદિર.. જાણો શું છે યોજના..

આંધ્ર પ્રદેશ સરકારે હિંદુઓની આસ્થાની સુરક્ષા માટે રાજ્યમાં 3000 મંદિરો બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે તે રાજ્યના દરેક ગામમાં મંદિર બનાવવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે. અગાઉ રાજ્યમાં 1330 મંદિરો બનવાના હતા. નાયબ મુખ્યમંત્રી કોટ્ટુ સત્યનારાયણે કહ્યું કે હવે તેમાં 1465 વધુ મંદિરો ઉમેરવામાં આવશે.

Andhra Pradesh govt to build around 3,000 temples to protect Hindu faith

વાહ, શું વાત છે!! આ રાજ્ય સરકાર બનશે હિન્દુઓની આસ્થાની 'રક્ષક', બનાવશે 3000 મંદિર.. જાણો શું છે યોજના..

News Continuous Bureau | Mumbai

આંધ્ર પ્રદેશ સરકારે હિંદુઓની આસ્થાની સુરક્ષા માટે રાજ્યમાં 3000 મંદિરો બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે તે રાજ્યના દરેક ગામમાં મંદિર બનાવવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે. અગાઉ રાજ્યમાં 1330 મંદિરો બનવાના હતા. નાયબ મુખ્યમંત્રી કોટ્ટુ સત્યનારાયણે કહ્યું કે હવે તેમાં 1465 વધુ મંદિરો ઉમેરવામાં આવશે.

Join Our WhatsApp Channel

978 મંદિરોનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે

28 ફેબ્રુઆરી 2023 ના રોજ, નાયબ મુખ્ય પ્રધાન કોટ્ટુ સત્યનારાયણે કહ્યું કે સરકારે મોટા પાયે હિંદુ ધર્મનો ફેલાવો કરવાના ઉદ્દેશ્ય સાથે ગરીબ વિસ્તારોમાં મંદિરો બનાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ રાજ્યમાં 1,330 મંદિરો બનવાના હતા. હવે તેમાં 1,465 મંદિરોનો ઉમેરો થયો છે. એટલું જ નહીં, ધારાસભ્યોની વિનંતી પર 200 વધુ મંદિરો પણ ઉમેરવામાં આવનાર છે. સત્યનારાયણે એમ પણ કહ્યું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનનું શ્રી વાણી ટ્રસ્ટ આ હિન્દુ મંદિરોના નિર્માણ માટે દરેક મંદિરને 10 લાખ રૂપિયા આપશે. બાંધકામ વિભાગ દ્વારા 978 મંદિરોના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સાથે જ 25 મંદિરોના નિર્માણનું કામ આસિસ્ટન્ટ એન્જિનિયરને સોંપવામાં આવ્યું છે. આ સિવાય કેટલાક અન્ય સહાયક ઇજનેરોની પણ નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અન્ય કેટલાક મંદિરો NGO દ્વારા બનાવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  આઝાદીના અમૃત મહોત્સવ.. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. જાણો તારીખ અને સમય.. જુઓ વિડીયો

ધાર્મિક વિધિઓ માટે 270 કરોડની જોગવાઈ

કેટલાક મંદિરોના પુનર્નિર્માણ અને મંદિરોમાં ધાર્મિક વિધિઓ માટે ફાળવવામાં આવેલા 270 કરોડમાંથી 238 કરોડ રૂપિયા બહાર પાડવામાં આવ્યા છે. તેવી જ રીતે, ધાર્મિક વિધિઓ (ધૂપ દીપ નૈવેદ્યમ) માટે ફાળવવામાં આવેલા રૂ. 28 કરોડમાંથી આ નાણાકીય વર્ષમાં રૂ. 5000 પ્રતિ મંદિરના દરે મંદિરોને રૂ. 15 કરોડ આપવામાં આવ્યા છે. 2019 સુધીમાં, ધૂપ, દીપ, નૈવેદ્ય યોજના હેઠળ માત્ર 1,561 મંદિરો નોંધાયા હતા. હવે આ સંખ્યા 5 હજાર સુધી પહોંચી ગઈ છે. આંધ્ર પ્રદેશમાં કુલ 26 જિલ્લાઓ છે. રાજ્ય સરકાર તમામ જિલ્લાના દરેક ગામમાં મંદિર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના શ્રી વાણી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા 10 લાખ રૂપિયામાંથી 8 લાખ રૂપિયા મંદિરના નિર્માણ પાછળ ખર્ચવામાં આવશે. તે જ સમયે, બાકીની બે લાખની રકમ મૂર્તિ બનાવવા અથવા ખરીદવા માટે વાપરવામાં આવશે.

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Bhutan rejects E20 fuel Bhutan rejects E20 fuel શું ભૂતાનને ભારતના E20 પેટ્રોલ પર વિશ્વાસ નથી? જાણો શા માટે ઠુકરાવ્યો પ્રસ્તાવ
Exit mobile version