News Continuous Bureau | Mumbai
Andhra Pradesh Train Accident : આંધ્રપ્રદેશ (Andhra Pradesh) ના વિજિયાનગરમ જિલ્લામાં બે ટ્રેનો અથડાઈ (Train Accident) હતી, જેમાં મોતનો ગોઝારો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 13 લોકોના મોત અને 54થી વધુ ઘાયલ થયા છે. એવામાં ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ECOR) એ અકસ્માતના કારણો અંગે આશંકા વ્યક્ત કરી છે. ECoRનું કહેવું છે કે આ ટ્રેન દુર્ઘટના માનવીય ભૂલને કારણે થઈ છે. જણાવી દઈએ કે, આ અકસ્માતમાં લગભગ 54થી વધુ લોકો ઘાયલ થયા છે. દરમિયાન, દુર્ઘટના બાદ વિજિયાનગરમ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
હવે વાત એમ છે કે મુખ્ય જનસંપર્ક અધિકારી વિશ્વજીત સાહુએ કહ્યું, “વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન દ્વારા સિગ્નલનું ‘ઓવરશૂટિંગ’ થયું હતું. જેના કારણે બંને ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. સાથે જ ઓવરશૂટીંગ શબ્દને સમજાવતા, મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું કે જ્યારે ટ્રેન લાલ સિગ્નલ પર રોકવાને બદલે આગળ વધી જાય છે ત્યારે આવું થાય છે.
VIDEO | Track restoration work underway on the Howrah-Chennai railway line, day after the collision of two trains in Andhra Pradesh’s Vizianagaram district. pic.twitter.com/Iw0egHlv2y
— Press Trust of India (@PTI_News) October 30, 2023
PMNRF માંથી મૃતકોના પરિજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય જાહેર..
અન્ય રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માતને કારણે વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન (ટ્રેન નંબર 08532)ના બે પાછળના કોચ અને વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર (ટ્રેન નંબર 08504)ના લોકો કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બે ટ્રેનો વચ્ચે ટક્કર બાદ ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી જતા અનેક મુસાફરો દબાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બોગીને ખરાબ રીતે નુકસાન થયું હતું.
આ મોટી દુર્ઘટનાને લઈને PM મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેમજ રેલવે મંત્રી સાથે ફોનમાં વાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી, સાથે જ PMNRF માંથી મૃતકોના પરિજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય રાશિની પણ જાહેર કરી હતી.
આ દુર્ઘટના બાદ રેલવે મંત્રાલયે કેટલાક હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. BSNL નંબર 08912746330, 08912744619 એરટેલ સિમ 8106053051, 8106053052 બીએસએનએલ સિમ 8500041670, 8500041671.
VIDEO | Passenger train derails near Vizianagaram, Andhra Pradesh. More details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/z0St0jyv8y
— Press Trust of India (@PTI_News) October 29, 2023
આ પ્રકારના ટ્રેન અકસ્માતોની ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક: અરવિંદ કેજરીવાલ
એક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ વધતી જ જઈ રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે મોડી સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકાંક વધીને 13ને વટાવી ગયો છે. તેમાં ત્રણ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન વિપક્ષે આ અકસ્માતને લઈને સવાલો ઉઠાવ્યા છે.
અરવિંદ કેજરીવાલે એક્સ પર લખ્યું કે આંધ્રપ્રદેશમાં આ ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય. તેઓ તેમના ઘરે પાછા ફરે. દેશમાં વારંવાર આવા ટ્રેન અકસ્માતોની ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે.
કોંગ્રેસે(Congress) સોશિયલ મીડિયા પર લખ્યું કે આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર દુઃખદ છે. આ દુર્ઘટનામાં ઘાયલ થવાની સાથે અનેક લોકોના મોતના સમાચાર છે. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. એ કામના કરીએ છીએ કે ઘાયલો ઝડપથી સાજા થાય.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યો છે કે રેલવે ક્યારે ઊંઘમાંથી બહાર આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં અવારનવાર આ પ્રકારના ટ્રેન અકસ્માતોની ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે વધુ એક વિનાશક અકસ્માત, આ વખતે આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લામાં જેમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે સર્જાઈ દુર્ઘટના. ઓછામાં ઓછા 13ના મોત અને 25થી વધુ ઘવાયા. તેમણે આગળ કહ્યું કે વારંવાર આવી ઘટનાઓ બનવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. પીડિતોના પરિજનો સાથે મારી સંવેદના અને અમે તાત્કાલિક કાર્યવાહીની માગ કરીએ છીઅ. રેલવે ઊંઘમાંથી ક્યારે બહાર આવશે?
🚨 Two passenger trains collided in Vizianagaram district, Andhra Pradesh last night. 13 people died and 40 injured. (ANI) pic.twitter.com/hbtSQteLbj
— Indian Tech & Infra (@IndianTechGuide) October 30, 2023
આ સમાચાર પણ વાંચો : Gujarat : વડાપ્રધાન મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે