Site icon

અહો આશ્ચર્યમ : શું અનિલ દેશમુખ તમામ આરોપ મુક્ત? સો કરોડની વસુલે સંદર્ભે કોઇ સબૂત નથી. જાણો દિવાળી પહેલા કઈ રીતે મળી ક્લિનચિટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ શું છૂટી જશે? હાલ એવું જ લાગી રહ્યું છે. વાત એમ છે કે અનિલ દેશમુખ પર પોલીસ વિભાગને સો કરોડ રૂપિયાની વસૂલી નો ટાર્ગેટ આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ આરોપ ખુદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ દ્વારા લગાડવામાં આવ્યો હતો. હવે આ મામલે નાટ્યાત્મક વળાંક આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે બનાવવામાં આવેલા તપાસ પંચ એટલે કે ચાંદીવાલ આયોગ સમક્ષ પરમવીર સિંહ દ્વારા એક એફીડેવીટ દાખલ કરવામાં આવી છે. પોતાની એફિડેવિટમાં પરમવીર સિંહે જણાવ્યું છે કે તેમની પાસે પોતાના આરોપોને પુરવાર કરવા માટે કોઈપણ પ્રકારનો એવિડન્સ નથી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને દેશમુખ ની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેઓ ચાર દિવસની ન્યાયિક કોટડીમાં છે. તેઓ પાંચ મહિના સુધી ભૂગર્ભમાં રહ્યા બાદ આશ્ચર્યજનક રીતે પ્રકટ થયા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સામે હાજર થયા હતા.

હવે આખી વાર્તામાં નાટ્યાત્મક વળાંક આવ્યા પછી એવું લાગી રહ્યું છે કે પડદા પાછળ કોઈ મોટી રમતો નથી થઈ ને?

 

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version