Site icon News Continuous Bureau | Mumbai

ગત મહિને EDની તપાસમાંથી બહાનું કરીને છટકી ગયેલા અનિલ પરબે આજે ED કાર્યાલયમાં જતાં પહેલાં આવા સોગંદ ખાધા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબ  ED ( ડાયરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ) કાર્યાલયમાં પહોંચ્યા છે. શનિવારે ૨૫મી સપ્ટેમ્બરના રોજ પરબને EDએ નોટિસ મોકલી હતી. એ મુજબ આજે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલાં 31મી ઑગસ્ટના રોજ પરબને તપાસ માટે બોલાવ્યા હતા. એ સમયે કોઈ કાર્યક્રમમાં જવાનું  કારણ આગળ ધરીને તેઓ તપાસમાંથી છટકી ગયા હતા, પરંતુ આ વખતે તેમણે તપાસનો સામનો કરવાનો નિર્ણય લીધો છે.
ED કાર્યાલયમાં જતાં પહેલાં પરબ સવારે બાંદરાના પોતાના સરકારી નિવાસસ્થાને પહોંચ્યા હતા. એ સમયે મીડિયાને જણાવ્યું હતું કે EDએ મને શા માટે બોલાવ્યો છે, એની મને જાણ નથી, પણ એ પહેલાં જ હું શિવસેનાપ્રમુખ બાળાસાહેબ અને મારાં બાળકોના સોગંદ લઈને કહું છું કે મેં કોઈ પણ ગેરકામ કર્યું નથી. 

રાષ્ટ્રીય સ્તરની પાર્ટી સાથે મહાજન પરિવારનો આ સભ્ય રાજકીય કારકિર્દીનો કરશે આરંભ; જાણો વિગત

Join Our WhatsApp Channel

અનિલ પરબ ઉપર ૧૦૦ કરોડની વસૂલી પ્રકરણે આરોપ છે. જેની તપાસ ED દ્વારા કરવામાં આવશે. એથી પરબની તપાસમાંથી કઈ નવી વાત સામે આવે છે એના ઉપર બધાનું ધ્યાન છે.
 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version