જો બાર ખૂલી શકતા હોય તો મંદિર કેમ નહીં? અન્ના હજારેએ ઉચ્ચારી આંદોલનની ચીમકી, મહારાષ્ટ્ર સરકારને આપ્યું અલ્ટીમેટમ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

સોમવાર

મહારાષ્ટ્ર સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે રાજ્યના તમામ મંદિરો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

સમાજ સેવક અન્ના હજારે દ્વારા મહારાષ્ટ્ર સરકારને આ નિર્ણય અંગે સીધો સવાલ કરવામાં આવ્યો કે બાર ખુલી શકે તો મંદિરો કેમ નથી ખુલતા. 

સાથેજ તેમણે આ મુદ્દે લોકોને અપીલ કરી છે જો સરકાર આગામી 10 દિવસમાં મંદિરો ખોલવા અંગે નિર્ણય ન કરે તો આંદોલન કરો. હું તમારી સાથે છું   

અન્ના હજારે આવું નિવેદન એ સમયે આપ્યું છે જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કોરોના મહામારીની ત્રીજી લહેરને લઈને મહારાષ્ટ્ર સરકારને પત્ર લખ્યો છે. 

જે પત્રમાં સરકાર ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીના કાર્યક્રમો મનાવાની પરવાનગી ન આપે તેવું કહેવામાં આવ્યું છે. 

મહારાષ્ટ્રમાં આજથી ચાર દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થઈ શકે છે મેઘમહેર; જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More