ઠાકરે સરકારની દારૂની નીતિ સામે અન્ના હજારે નહીં કરે ભૂખ હડતાળ, આ છે કારણ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

સોમવાર 

સામાજિક કાર્યકર અને ગાંધીવાદી અણ્ણા હજારેએ મહારાષ્ટ્ર સરકારની વાઈન નીતિ સામે તેમની સૂચિત ભૂખ હડતાળ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

અન્ના હજારેના મૂળ ગામ રાલેગણ સિદ્ધિ ખાતે તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કેબિનેટના નિર્ણયને નાગરિકો સમક્ષ તેમના સૂચનો અને વાંધાઓ મૂકવાનો નિર્ણય કર્યો છે. 

તેમની મંજૂરી પછી જ સરકાર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેથી મેં ભૂખ હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વાઈન વેચાણનો વિરોધ કરવા અણ્ણા હજારેએ સોમવારથી ઉપવાસ કરવાનો ઈશારો આપ્યો હતો.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More