Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરે ની બરાબરની માઠી બેઠી.. પાર્ટીનું નામ અને ચિન્હ બાદ હવે આ વસ્તુ પણ તેમના હાથમાંથી ગઈ,  શિંદે જૂથે જમાવ્યો કબ્જો..

Maharashtra Politics: 54 MLAs to be summoned for hearing on disqualification

Maharashtra Politics: 54 MLAs to be summoned for hearing on disqualification

News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લીધા બાદ હવે તેમની પાસેથી સંસદનું કાર્યાલય પણ છીનવી લેવામાં આવ્યું છે. ચૂંટણી પંચના નિર્ણયને ધ્યાનમાં રાખીને સંસદમાં શિવસેનાનું કાર્યાલય હવે શિંદે જૂથનું છે. હવે આ ઓફિસ પર ઉદ્ધવ જૂથનો કોઈ અધિકાર રહેશે નહીં. એકનાથ શિંદે જૂથે સંસદમાં શિવસેના કાર્યાલય પર દાવો કર્યો હતો.

Join Our WhatsApp Channel

જણાવી દઈએ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારે (21 ફેબ્રુઆરી) શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજશે. સીએમના નજીકના સહયોગીએ કહ્યું છે કે આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદો અને શિવસેનાના અન્ય નેતાઓ હાજર રહેશે. અગાઉ, સોમવારે (20 ફેબ્રુઆરી) શિંદે જૂથે મુંબઈના વિધાન ભવનમાં શિવસેનાના કાર્યાલય પર કબજો કરી લીધો હતો.

આ સમાચાર પણ વાંચો : નામ અને ચૂંટણી ચિન્હ મળ્યા બાદ આજે શિવસેનાની પ્રથમ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, લેવાઈ શકે છે આ મોટો નિર્ણય

‘મને શિવસેનાની સંપત્તિનો કોઈ લોભ નથી’

એકનાથ શિંદેએ સોમવારે કહ્યું કે અમે કોઈપણ પક્ષની સંપત્તિ પર કોઈ દાવો નહીં કરીએ, કારણ કે અમે બાળાસાહેબ ઠાકરેની વિચારધારાના ઉત્તરાધિકારી છીએ અને અમને કોઈ લોભ નથી. તેમણે પત્રકારોને કહ્યું, “મને શિવસેનાની સંપત્તિ કે પૈસાનો કોઈ લોભ નથી. હું એવી વ્યક્તિ છું જેણે હંમેશા બીજાને કંઈક આપ્યું છે.” તેમણે એમ પણ કહ્યું કે ધન અને પૈસાના લોભમાં આવનારાઓએ 2019માં ખોટું પગલું ભર્યું હતું.

ચૂંટણી પંચથી આંચકો, સુપ્રીમ કોર્ટ પાસેથી આશા

ઉદ્ધવ ઠાકરે જૂથે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક શિવસેના ગણવા અને તેને ચૂંટણી પ્રતીક ધનુષ અને તીર ફાળવવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે તારણ કાઢવામાં ભૂલ કરી છે કે દસમી સૂચિ હેઠળ અયોગ્યતા અને ચૂંટણીની કાર્યવાહી અલગ બાબતો છે અને ધારાસભ્યોની ગેરલાયકાત રાજકીય પક્ષના સભ્યપદની સમાપ્તિ પર આધારિત નથી. આ મામલે હવે બુધવારે (22 ફેબ્રુઆરી) સુનાવણી થશે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version