ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020
ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે અને મૃતક અન્વય નાયકની પત્ની અને પુત્રી મધુકર નાઈક સાથે વ્યાપારિક સંબંધ રાખ્યા હતા. જેણે એક પત્રમાં અર્ણવ ગોસ્વામીનું નામ લખીને આત્મહત્યા કરી હતી.
રશ્મિ ઉદ્ધવ ઠાકરે, મનીષા રવિન્દ્ર વાઈકર સાથે મધુકર નાઈક, અક્ષતા અન્વય નાયક અને અંજના અન્વય નાયક ના નામે રાયગઢ જિલ્લાના મુરૂડ તાલુકાના કોરલાઇ ગામની એક જમીનમાં સંયુક્ત રીતે સાતબારામાં નામ બોલે છે. સૌમયા એ સાતબારા જમીનના રેકોર્ડ્સમાંથી આ માહિતી મેળવવામાં આવી હોવાનું જણાવ્યું છે. ઉપરોક્ત ગામની નમૂનાની રેકોર્ડ શીટ જાહેર કરી છે. જેમાં ઉપરોક્ત તમામ નામો શામેલ છે.
આ કારણે કિરીટ સોમૈયાએ ઉદ્ધવ ઠાકરેને ઘેરી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે તેની ઠાકરે અને નાઈક પરિવાર વચ્ચે વ્યાપારિક સંબંધ હતાં.. તેથી જ ઉદ્ધવે રિપબ્લિક ટીવીના સંપાદક અરનબ ગોસ્વામીની ધરપકડ કરાવી છે અને આમ અરનબને ખોટા કેસમાં ફસાવવાની વાત ભાજપના કિરીટ સોમૈયા એ કહ્યું હતું.
