Site icon

10 હજાર કરોડ ખર્ચાયા પણ જળ સ્તર ઉપર ના આવ્યું, કેગના રીપોર્ટમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ફસાયા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

09 સપ્ટેમ્બર 2020

રાજ્યના ધારાસભામાં રચાયેલ કંટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ) ના અહેવાલમાં અગાઉની ફડણવીસ સરકારની નિંદા કરવામાં આવી છે. કહેવાયું છે કે મહારાષ્ટ્રના ગામોને દુષ્કાળ મુક્ત બનાવવા માટે કલ્પના કરવામાં આવેલી જલયુકત શિવર અભિયાન (જેએસએ) અમલીકરણ નિષ્ફળ ગયું છે. 

અહેવાલોમાં જણાવાયું છે કે યોજનાઓની ખામી અને કામોની જાળવણી માટે પૂરતા ભંડોળનો અભાવ ઉપરાંત, દુષ્કાળગ્રસ્ત ગામોમાં પાણી પહોંચાડવામાં વિફળતા મળી તેમજ હેતુ મુજબ ભૂગર્ભ જળ સપાટીમાં વધારો થયો નથી. સામાન્ય ક્ષેત્ર, સામાજિક ક્ષેત્રો અને નાણાકીય વર્ષના જાહેર કરવામાં આવેલા રીપોર્ટમાં ઉપરોક્ત નોંધ કરવામાં આવી છે. આ અહેવાલ 31 માર્ચ, 2019 ના રોજ સમાપ્ત થયેલ વર્ષનો છે. 

વિધાનસભામાં રજૂ કરાયેલા નિર્દેશમાં જણાવાયું છે કે 10 હજાર કરોડ જેટલો ખર્ચ કર્યા પછી પણ જળયુક્ત યોજના અભિયાનની ખૂબ ઓછી અસર થઈ છે. “અભિયાનનો ઉદ્દેશ મહત્તમ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો હતો. પરીક્ષણ ચકાસણી હેઠળના 120 ગામોમાં, સંગ્રહિત પાણી અંદાજીત 1.64 લાખ હજાર ઘનમીટર (ટીસીએમ) કરતા પણ ઓછું હતું. રિપોર્ટમાં જણાવાયું છે કે, પસંદ કરેલા 120 ગામોમાં પીવાનું પાણી અને વાવેતર માટેના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં સંગ્રહ કરાયો ન હતો. સીએજીએ વધુમાં નોંધ્યું છે કે “ યોજનાનો યોગ્ય અમલ ન થયો હોવાથી 83 માંથી 37 ગામોમાં પાણીની તંગી સર્જાઇ હતી. અને ગામોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે પાણીના ટેન્કર ગોઠવવામાં આવ્યા હતા."

અહેવાલમાં કહેવામાં આવ્યું છે: “અભિયાનના મુખ્ય ઉદ્દેશોમાંનું એક, ભૂગર્ભ જળનું સ્તર વધારવાનું હતું.  58 ગામોમાં ભૂગર્ભ જળની તુલના માટે અભિયાનના પૂર્વ અને અમલ પછીના આંકડાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પરંતુ યોજના ત્યાં પણ સફળ થઈ નથી. 

આ અંગે વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે "સત્તાધારી સરકારે અભિયાનને રદબાતલ કરી દીધુ હોવાથી મૂળ ઉદ્દેશ્ય પ્રાપ્ત થઈ શકયો નથી. “જેએસએને 10 વર્ષ માટે લાગુ કરવાની યોજના હતી. જો તે ચાલુ રાખ્યું હોત, તો ઉદ્દેશ્ય પ્રાપ્ત થઈ શકયો હોત."

Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Exit mobile version