News Continuous Bureau | Mumbai
કાશ્મીર(Kashmir)માં થઈ રહેલી ટાર્ગેટ કિલિંગ(target killing)ની ઘટનાઓ વિરુદ્ધ દિલ્હીમાં ‘આપ’(AAP)એ જન આક્રોશ રેલી કાઢી.
જંતર-મંતર પર આ રેલીને સંબોધિત કરતા દિલ્હી CM અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) મોદી સરકાર (Modi govt)પર નિશાન સાધ્યુ.
તેમણે કહ્યુ કે જ્યારે-જ્યારે કાશ્મીરમાં ભાજપ(BJP)નુ શાસન આવે છે, કાશ્મીરી પંડિત(Kashmiri Pandit) પલાયન કરવા મજબૂર થઈ જાય છે. આનો અર્થ ભાજપથી કાશ્મીર સચવાતું નથી એવો થાય.
જ્યારે પણ ઘાટીમાં કોઈ હત્યા થાય છે, ત્યારે સમાચાર આવે છે કે ગૃહમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકો પૂરતી છે, હવે આપણે પગલાં લેવાની જરૂર છે. કાશ્મીર કાર્યવાહી ઈચ્છે છે.
આ સમાચાર પણ વાંચો : આખરે સરકાર જાગી- લોન વસૂલી માટે ટોર્ચર કરનારી આટલી લોન એપ પર પ્રતિબંધ- ગૂગલને નોટિસ