ગુજરાતનાં 36 શહેરમાં રાત્રી કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર, જાણો રૂપાણી સરકારે શું કરી જાહેરાત

by Dr. Mayur Parikh

 ગુજરાતમાં રાત્રી કર્ફ્યુને લઈને રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યો છે. 

હવેથી 36 શહેરમાં લાગુ રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 8 વાગ્યાને બદલે 9 કલાકે શરૂ થશે અને સવારે 6 કલાકે કર્ફ્યુ પૂરો થશે. 

જોકે સરકાર દ્વારા કોરોનાનાં જે નિયંત્રણો અમલમાં મુકાયાં છે એની મુદત આવતી કાલે પૂર્ણ થઈ રહી છે અને એ સંદર્ભમાં હજી રાજ્ય સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 

ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારે રાજ્યનાં 36 શહેરમાં કેટલીક છૂટછાટ આપતા તમામ ધંધાઓ સવારે 9થી બપોરે 3 કલાક સુધી ખુલ્લા રાખવાની છૂટ આપી હતી.

મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : આ બે વસ્તુઓનો વેપાર કરનાર હવે lockdown માં પણ ધંધો કરી શકશે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More