Site icon News Continuous Bureau | Mumbai

Assam Accident: આસામના ગોલાઘાટમાં ગમખ્વાર અકસ્માત, બસ અને ટ્રકની વચ્ચે થઇ જોરદાર ટક્કર, આટલા મુસાફરોના થયા કરુંણ મોત; ડઝનેક ઘાયલ…

Assam Accident: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિની બસમાં સવાર લોકો પિકનિક માટે જઈ રહ્યા હતા. માર્યા ગયેલાઓમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.આ અકસ્માત NH 37 પર સવારે લગભગ 5 વાગ્યે થયો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Assam Accident 14 killed, 27 injured as bus collides with truck in Assam's Dergaon

Assam Accident 14 killed, 27 injured as bus collides with truck in Assam's Dergaon

News Continuous Bureau | Mumbai

 Assam Accident: આસામ ( Assam ) ના ગોલાઘાટ જિલ્લામાં બુધવારે સવારે એક ભયાનક અકસ્માત થયો છે. પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 14 લોકોના મોત થયા છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેમજ 27 ઘાયલ મુસાફરોમાંથી ઘણાની હાલત નાજુક છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે.

Join Our WhatsApp Channel

 45 લોકોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ

મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર આજે સવારે દેરગાંવ નજીક બાલીજાનમાં 45 લોકોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી.. આ ખાનગી બસ ગોલાઘાટના કામરગાંવથી તિનસુકિયા જિલ્લાના તિલંગા મંદિર માટે પિકનિક માટે રવાના થઈ હતી. હાઇવે ફોર લેનનો ભાગ ખરાબ હોવાથી ટ્રક ખોટી દિશામાં આવી રહી હતી. સવારના સમયે ધુમ્મસ છવાયેલું હોવાથી બંને વાહનો સ્પીડમાં હતા. જેથી આ બંને વાહનો એકબીજા સાથે અથડાયા હતા.

આ સમાચાર પણ વાંચો :  Citizenship Amendment Act: લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય… 4 વર્ષ બાદ હવે CAA લાગુ કરવાની તૈયારીમાં: અહેવાલ.

આ દુર્ઘટના મધ્યપ્રદેશના સિધીમાં બની હતી

આજકાલ ઠંડી અને ધુમ્મસના કારણે અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થયો છે. આસામ પહેલા, મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક દુ:ખદ અકસ્માત થયો હતો, જ્યાં હાઇ-સ્પીડ હાઇવે ટ્રક અને ઓટો વચ્ચેની અથડામણમાં 4 લોકોના કરુણ મોત થયા હતા. આ ભયાનક અકસ્માતમાં ઓટોના ટુકડા થઈ ગયા હતા.

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Maharashtra Petrol Diesel Shortage 2026| પેટ્રોલ પંપોની મનમાનીથી જનતા પરેશાન! મહારાષ્ટ્રમાં ઈંધણની તીવ્ર અછત, અનેક શહેરોમાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા
Exit mobile version