Site icon News Continuous Bureau | Mumbai

માફિયા અતિકનો પુત્ર અસદ એન્કાઉન્ટરમાં ઠાર, સાથી ગુલામ પઠાણ પણ ઠાર… બંનેને માથે હતું આટલા લાખનું ઈનામ.. જુઓ વિડીયો..

Atiq Ahmad's son Asad, accomplice killed in encounter

માફિયા અતિકનો પુત્ર અસદ એન્કાઉન્ટરમાં ઠાર, સાથી ગુલામ પઠાણ પણ ઠાર… બંનેને માથે હતું આટલા લાખનું ઈનામ.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદના પુત્ર અસદનો UPSTF ટીમ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. ગુલામના પુત્ર મકસુદનું પણ અસદ સાથે એન્કાઉન્ટર કર્યું છે. આ બંને પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા હતા. બંને ગુનેગારો પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ હતું. વાસ્તવિક એન્કાઉન્ટર ઝાંસીમાં થયું હતું. STFના ADGએ આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ, ઉમેશ પાલને પ્રયાગરાજમાં અતીકની સૂચના પર ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હુમલામાં ઉમેશ પાલ અને તેના બંને ગનર્સ માર્યા ગયા હતા. અતીક પર આટલા ગંભીર ગુનાનો આ પહેલો આરોપ નથી, આ પહેલા પણ અનેક મામલામાં તેનું નામ સામે આવ્યું છે. 44 વર્ષમાં તેની સામે 100થી વધુ કેસ નોંધાયા છે, પરંતુ ઉમેશ પાલ અપહરણ કેસમાં તેને પહેલીવાર સજા થઈ હતી. તેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

આતિક ઉપરાંત તેની પત્ની શાઇસ્તા પરવીન સામે 3 કેસ, પુત્ર અલી સામે 4 અને પુત્ર ઉમર સામે એક કેસ છે. હાલમાં જ અતીકના ત્રીજા પુત્ર અસદ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  શરદ પવાર-અદાણી સાથેનો ફોટો વાયરલ થયા બાદ અજિત પવારે આપી પ્રતિક્રિયા કહ્યું- અદાણી જ છે ને કોઈ અંડરવર્લ્ડ ડોન તો નથીને.. જાણો શું છે સમગ્ર મામલો

Global Market Selloff ભારતીય શેરબજારમાં કડાકો વોલ સ્ટ્રીટ અને એશિયાઈ માર્કેટમાં ગાબડુ, ભારતીય રોકાણકારોને ૫ લાખ કરોડનો ફટકો
India’s LPG Import Strategy એનર્જી સુરક્ષા માટે ભારતની મોટી રણનીતિ મિડલ ઈસ્ટ પર નિર્ભરતા ઘટાડી અમેરિકા તરફ વળ્યું ભારત.
Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Navi Mumbai Railway Update નવી મુંબઈ રેલવેનું વિસ્તરણ; તારઘર, બામણડોંગરી અને ખારકોપર સ્ટેશનો સેન્ટ્રલ રેલવેને સુપરત
Exit mobile version