Site icon News Continuous Bureau | Mumbai

જય શ્રી રામ… અયોધ્યાવાસીઓ થયાં માલામાલ: રામ મંદિરની ઘોષણા બાદ પ્રોપર્ટીના ભાવો આટલા વધ્યા.. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 સપ્ટેમ્બર 2020

અયોઘ્યા ખાતે ભગવાન રામ નું ભવ્ય મંદિર બનવાની જાહેરાત થતાં જ સ્થાનિક રહેવાસીઓ તેમજ સંપત્તિ ખરીદનારાઓ માલામાલ થઈ ગયાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટમાં રામ મંદિરના બાંધકામ નું ઉદઘાટન કર્યું ત્યારથી અયોધ્યામાં સંપત્તિના ભાવ લગભગ બે ગણા થયા હોવાના અહેવાલ છે. આમ અયોધ્યામાં કોરોના વાયરસથી ચાલતી મંદીનો અંત આવ્યો એમ કહી શકાય છે. 

એક અહેવાલમાં પ્રોપર્ટી નિષ્ણાંત ના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2019 માં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ માં ચુકાદો આપ્યો ત્યારથી પ્રોપર્ટી રેટ 30-40 ટકા વધી ગયાં છે. અયોધ્યાના અંતરિયાળ વિસ્તારમાં પણ સંપત્તિ દર પ્રતિ ચોરસ ફૂટ રૂ .1000-1,500 સુધી પહોંચી ગયા છે. શહેર વિસ્તારમાં હાલમાં દર ચોરસફૂટ દીઠ રૂ. 3000-4000 બોલાઈ રહયાં છે. જ્યારે સુપ્રીમ કોર્ટ ના ચુકાદા પહેલાં અયોધ્યા શહેરમાં 900 રૂપિયાથી પણ ઓછાં ભાવ બોલાતાં હતાં.

રામ મંદિરના ભુમિ પૂજન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું વિમાનમથક, લંડનની તર્જ પર આયોજિત ટાઉનશીપ – નવી અયોધ્યા, અને અન્ય લોકોમાં એક નવેસરથી અયોધ્યા રેલ્વે સ્ટેશન સહિતના અનેક માળખાગત પ્રોજેક્ટ્સની ઘોષણા કર્યા પછી અયોધ્યામાં જમીનની માંગમાં વધારો થયો છે. વધતી માંગ હોવા છતાં, જો રાજ્ય સરકાર પછીથી વિવિધ પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન કરવાનો નિર્ણય લેશે તો ભાવ સ્થિર થવાની સંભાવના છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version